Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની સુગમ, સુરક્ષીત અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે…

Rajkot : રાજકોટમાં આરોપીને LCBએ તમિલનાડુમાંથી ઝડપી પાડ્યો, 11 વર્ષથી યુવકની હત્યાના કેસમાં હતો ફરાર

દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. તેવામાં 2014માં રાજકોટમાં યુવકની હત્યા કરીને 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો છે. રાજકોટમાં યુવકની હત્યા કરી 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ઝડપી પાડ્યો છે. 2014માં મવડીમાં રહેતા યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા યુવકની હત્યાના કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં બેફામ ફરતો હતો. રાજકોટ LCBને બાતમીના આધારે તમિલનાડુના તિરુનેલવેલીમાંથી…

Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો

ગુજરાતમાં આજે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા શહેરીજનો માટે રાહતની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં પવનની દિશા બદલતા તાપમાન ઘટશે. તેમજ પશ્ચિમથી ઉત્તર તરફ પવનો ફૂંકાતા ગરમીમાં ઘટાડો થશે. તાપમાન ઘટતા શહેરજનો ગરમીથી આંશિક રાહત મેળવશે. તેમજ મોટાભાગનાં જીલ્લામાં 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 15 માર્ચથી રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી…

ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી

RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો,ગણવેશ અને સહાય આપનારું ગુજરાત દેશનું પ્રથમ-રાજય બન્યું છે. વડોદરા અને જુનાગઢ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની વિગતો આપતાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે, રાજ્યમાં આરટીઈ એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો નિયત કરવામાં આવી છે. આ માટે નિયત આવક ધરાવતાં વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહે છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં તા. ૧ એપ્રિલ, ૨૦૧૦થી આરટીઈ એક્ટ-૨૦૦૯ અમલી છે. જે મુજબ, શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧.૨૦ લાખની વાર્ષિક આવક ધરાવતાં પરિવારોનાં બાળકોને આ કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે. જે અંતર્ગત, આરટીઈ એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક…

Ahmedabad : અમદાવાદમાં એક તરફીપ્રેમનો કરુણ અંજામ, પરિણીતાએ લગ્નનની ના પાડતા યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો

અમદાવાદ શહેરમાં એક તરફી પ્રેમનો કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે શાકભાજીનો ધંધો કરતી પરિણીત મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલક હિતેશ પટણીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મહિલાએ ઇનકાર કરતા રિક્ષા ચાલક પાગલ પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરી મહિલાને લોહીલુહાણ હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ આ મામલે મહિલાએ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરવાની ના પાડતા એક તરફી પ્રેમીનો મહિલા પર હુમલો કર્યો હતો. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી મહિલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક શાકભાજીની લારી ચલાવીને વેપાર ધંધો કરે છે. જેથી તે જમાલપુરથી શાકભાજી લેવા માટે અવારનવાર બાપુનગર…

Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે ગુજરાતમાં હજી બે દિવસ તાપમાન ઊંચુ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે બાદ ફરીથી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી નીચો જાય તેવી આશંકા છે. ત્યારે આજે એટલે કે, 11મી માર્ચના રોજ મંગળવારે નવ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. એટલે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર :- હવામાન વિભાગે રાજ્યમાં આજે 1 નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 માર્ચે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું…

gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે જેમા બનાસકાંઠા, સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ,સુરત, વલસાડ,દમણ,સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો :- Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો કયા કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી,અમદવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,નલિયામાં 39.5, કેશોદમાં 39.2 ડિગ્રી,કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી,ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો…

Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ

હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. જેમાં નાના બાળકથી લઇને યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. પીઆઇ આર.એલ.ખરાડીનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક! અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર.એલ.ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.પીઆઈ ખરાડી હાલમાં DG ઓફિસમાં કાર્યરત હતા તો અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા મોતને ભેટયા હતા. આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને…

Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ પણ વાંચો :- ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી,ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 34.7 ડિગ્રી,વડોદરામાં 34.6 ડિગ્રી, સુરતમાં 33.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી,…

રાજયમાં હવામાન વિભાગની આગાહી, આજથી અંગ દઝાડતી ગરમીની થશે શરૂઆત

રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થશે. અને મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સાથે સાથે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અને ગરમી બપોરના સમયે વધુ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તો અનેક વિસ્તારમાં મહતમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે. આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. -> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36.6 ડિગ્રી, ગાંધીનગરમાં 36.2 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન…