સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, હોટલ-રેસ્ટોરન્ટનું 3 દિવસ સઘન ચેકિંગ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટનામાં એક માસૂમ બાળકીના મોત બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં એક પરિવારના સભ્યોની તબિયત લથડ્યા બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે સમગ્ર ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય એકમોની સઘન તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, ખોરાકનો સંગ્રહ અને હાઈજીન સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. સુરતમાં શું બન્યું? સુરતમાં એક પરિવારના સભ્યો દ્વારા રેસ્ટોરન્ટનું ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક લથડી હતી. પરિવારના સભ્યોને ઉલટી, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…