મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – Special Intensive Revision) અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યભરમાં 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશના ગણતરી તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારોને પોતાના નામ ઉમેરવા, સુધારવા અથવા કમી કરવા અંગે દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે. ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કુલ 69,760 નાગરિકોએ ફોર્મ-6 રજૂ કર્યા છે. જ્યારે વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકોએ ફોર્મ-7 ભર્યા છે. ચૂંટણી…
વડોદરા: SIR કામગીરી દરમિયાન BLO સહાયકનું નિધન, તણાવ અને કામનું ભાર કારણ
વડોદરામાં Special Summary Revision (SIR)ની કામગીરી દરમિયાન એક BLO સહાયક ઉષાબેન સોલંકી અચાનક બેભાન પડી ગઈ અને હોસ્પિટલમાં પહોંચતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાનું સ્થળ પ્રતાપ વિદ્યાલય હતું જ્યાં ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ, દીવસભરના ભારે કામ અને વધતા તાપમાનને કારણે તેમની તબિયત લથડી. તપાસ હેઠળ જાણવામાં આવ્યું છે કે, BLOની આ સહાયક ITIમાં કર્મચારી છે અને SIR પ્રક્રિયામાં સહાય માટે તાત્કાલિક નિયુક્ત કરવામાં આવી હતી. તબિયત બગડતા સહકર્મચારીઓએ તરત એમ્બ્યુલન્સ બોલાવી મદદની, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાથી જ જીવ જોખમમાં હતો. આ પહેલા વડોદરા જિલ્લામાં પાદરા વિસ્તારમાં પણ BLO જુલ્ફીકાર પઠાણને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોડીનારમાં ગીર સોમનાથ જિલ્લાના BLO શિક્ષક અરવિંદ મૂળજી…
અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત
અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને જિલ્લા હેઠળ આવતાં 21 વિધાનસભા ક્ષેત્રોમાં BLO (Booth Level Officer) દ્વારા ઘર-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ અને ચકાસણીનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે એકપણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી છૂટે નહીં અને દરેક નાગરિકને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી રહે. સ્થળાંતર કરેલા મતદારો માટે ખાસ કેમ્પ શહેરના સાબરમતી (55), નારણપુરા (45) અને જમાલપુર-ખાડિયા (52) વિધાનસભા ક્ષેત્રોમાં રીડેવલપમેન્ટ અને પુનર્વિકાસના કારણે સ્થળાંતર કરનારા મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નાગરિકોને એન્યુમરેશન ફોર્મ સરળતાથી મળી રહે અને તે ફોર્મ…









