અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક: ધાર્મિક સમિતિનું પુનર્ગઠન થયું

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં આગામી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, મંદિરના ધાર્મિક સંચાલન અને વહીવટી સુધારાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ટ્રસ્ટે મંદિરના સંચાલનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. અયોધ્યા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન, સંતોના માર્ગદર્શન હેઠળ થશે તમામ ધાર્મિક કાર્યો બેઠકમાં મંદિરના તમામ ધાર્મિક કાર્યોની પવિત્રતા જળવાઈ રહે તે માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંદિરની પૂજા-અર્ચના, ધાર્મિક વિધિઓ અને પરંપરાગત કાર્યક્રમો સંતોના માર્ગદર્શન હેઠળ સંચાલિત થશે. અયોધ્યા ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને સમિતિના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી…

DASHERA 2025: જાણો રાવણ દહન અને પૂજાના શુભ સમયની વિગત

દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર પૈકી એક છે. આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કર્યો હતો અને દેવી દુર્ગાએ મહિષાસુરનો વિનાશ કર્યો હતો – આ બંને ઘટનાઓ ઉજવીને દશેરા મનાવવામાં આવે છે.   દશેરા માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે એટલું જ નહીં, પણ આ દિવસ એ નવો આરંભ કરવાનો, શસ્ત્ર પૂજા, વાહન પૂજા અને નોકરી-ધંધામાં પ્રગતિ માટે શુભ દિવસ માનવામાં આવે છે.   દશેરા 2025 ક્યારે છે? હિન્દુ પંચાંગ અનુસાર, આસો મહિનાની શુક્લ પક્ષ દશમી તિથિ: પ્રારંભ: 1 ઓક્ટોબર 2025, બુધવાર – સાંજે 7:01 કલાકે સમાપ્તિ: 2 ઓક્ટોબર 2025, ગુરુવાર – સાંજે 7:10 કલાકે ઉદયાતિથિ મુજબ દશેરા 2 ઓક્ટોબર…