ગોવા: ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડ, 6 લોકોના મોત

ગોવાના શિરગાંવમાં એક ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન આ અકસ્માત થયો હતો. દર વર્ષે હજારો લોકો આ લૌરાઈ યાત્રામાં ભાગ લે છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત જાણવા માટે સીએમ પ્રમોદ સાવંત ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટના અંગે માહિતી આપતાં, ઉત્તર ગોવાના એસપી અક્ષત કૌશલે જણાવ્યું હતું કે ગોવાના શિરગાંવમાં લેરાઈ દેવી મંદિરમાં ભાગદોડ થવાથી 6 લોકોના મોત થયા છે અને 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. ગોવા કોંગ્રેસે શિરગાંવમાં શ્રી લૈરાઈ દેવી જાત્રામાં થયેલી ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પાર્ટીએ લખ્યું, અમે આ દુ:ખદ ઘટનાની નિંદા કરીએ…