ભારતનો પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: લોકસભામાં ‘શાંતિ બિલ, 2025’ રજૂ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (Shanti) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ દ્વારા પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતા સરકારી એકાધિકારને સમાપ્ત કરી ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે માર્ગ ખુલ્લો મૂકવાનો પ્રસ્તાવ છે. જો સંસદના બંને ગૃહોમાંથી આ બિલ પસાર થાય, તો પરમાણુ ઉર્જા અધિનિયમ, ૧૯૬૨ અને નાગરિક પરમાણુ ક્ષતિ જવાબદારી અધિનિયમ, ૨૦૧૦ જેવા બે મુખ્ય કાયદાઓ રદ કરવામાં આવશે, જે અત્યાર સુધી ખાનગી અને વિદેશી રોકાણ માટે અવરોધરૂપ ગણાતા હતા. ‘શાંતિ બિલ, 2025’ની મુખ્ય જોગવાઈઓ – ખાનગી ક્ષેત્રને મંજૂરી: હવે ભારતીય ખાનગી કંપનીઓને પરમાણુ ઉર્જા પ્લાન્ટ અને રિએક્ટરનું નિર્માણ, માલિકી, સંચાલન તથા નિષ્ક્રિયકરણ (decommissioning) માટે લાઇસન્સ માટે અરજી કરવાની…