7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’
રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો. દિલ્હીના મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામ દિલ્હીના વિકાસ માર્ગ, સંસદ માર્ગ, ટોલ્સ્ટોય માર્ગ, કનોટ પ્લેસ આઉટર સર્કલ, પટેલ ચોક, ઈન્ડિયા ગેટ સર્કલ, ડીડીયુ માર્ગ, મિન્ટો રોડ અને આઈટીઓ ટનલ આસપાસ વાહનોની અવરજવર ખૂબ જ ધીમી રહી હતી. આઈટીઓ ટનલ નજીક રસ્તાનો એક ભાગ બંધ કરાતા વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. ઓફિસ જતાં લોકો, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં સામાન્ય દિવસ કરતાં વધુ સમય લાગ્યો હતો. ઘણા વાહનચાલકોએ જણાવ્યું હતું કે થોડા કિલોમીટરના અંતર માટે પણ લાંબો સમય લાગી રહ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થામાં અચાનક થયેલા ફેરફારને કારણે લોકોમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો. દિલ્હીમાં મુસાફરીનો સમય બમણો થયો ટ્રાફિક જામના કારણે સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. નોઈડાથી મંડી હાઉસ જતા એક મુસાફરે જણાવ્યું કે સામાન્ય રીતે 45 મિનિટમાં પૂર્ણ થતી મુસાફરી માટે ગુરુવારે દોઢ કલાકથી વધુ સમય લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ લોકોએ ટ્રાફિકની સ્થિતિ અંગે માહિતી શેર કરી હતી. કેટલાક લોકોએ ટ્રાફિક પોલીસને વિનંતી કરી હતી કે રસ્તાઓ બંધ કરતા પહેલા યોગ્ય જાહેર સૂચના આપવામાં આવે જેથી લોકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકે. સુરક્ષાના કારણે 17 મેટ્રો સ્ટેશન બંધ વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષાના કારણોસર DMRC દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. તેમાં લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, કેન્દ્રીય સચિવાલય, આઈટીઓ, દિલ્હી ગેટ, ઈન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ, શિવાજી સ્ટેડિયમ અને ઝંડેવાલાન જેવા સ્ટેશનનો સમાવેશ થાય છે. મેટ્રો સેવા પર અસર થતાં બસ, ઓટો અને કેબ જેવા અન્ય જાહેર પરિવહન સાધનો પર મુસાફરોનો ભાર વધી ગયો હતો. અનેક સ્થળોએ મુસાફરોને વાહન મેળવવા માટે લાંબી રાહ જોવી પડી હતી. વેપાર અને સામાન્ય જીવન પર અસર દિલ્હીના વ્યસ્ત વેપારી વિસ્તાર કનોટ પ્લેસમાં પણ આ સ્થિતિની અસર જોવા મળી હતી. પોલીસની સૂચના બાદ વેપારી સંગઠનો દ્વારા કેટલીક દુકાનો અને રેસ્ટોરન્ટ વહેલા બંધ કરવાની સલાહ આપવામાં આવી હતી. વેપારીઓનું કહેવું હતું કે સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે, પરંતુ અચાનક માર્ગ નિયંત્રણ અને લોકોની અવરજવર ઘટવાથી વેપાર પર પણ અસર પડી હતી. શું છે વિરોધ પ્રદર્શનનું કારણ? કોકરોચ જનતા પાર્ટી (CJP) છેલ્લા એક મહિનાથી વધુ સમયથી જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહી છે. સંગઠન દ્વારા પેપર લીક અને પરીક્ષામાં અનિયમિતતાના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ સેન્ટ્રલ દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળે અને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. વિરોધ પ્રદર્શન અને સુરક્ષા વ્યવસ્થાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસની અપીલ દિલ્હી ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સેન્ટ્રલ દિલ્હીના અસરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળે અને શક્ય હોય તો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શન પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ ચાલુ રાખવામાં આવશે. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive X : https://x.com/bindia276
હોર્મુઝ સ્ટ્રેટમાં એક પણ જહાજ પર હુમલો થયો તો….: ટ્રમ્પની ચેતવણી
મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાનું ઈરાનને કડક સંદેશ મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતા કોઈપણ વેપારી અથવા સૈન્ય જહાજ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેનો જવાબ આપશે અને ઈરાનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી શકે છે. ટ્રમ્પની આ ચેતવણી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં વૈશ્વિક તેલ અને વેપારી સામાનની અવરજવર થાય છે. મિસાઈલ, ડ્રોન કે અન્ય હુમલાનો પણ અપાશે જવાબ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા કોઈપણ પ્રકારના હથિયારનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવશે તો અમેરિકા તેનો જવાબ આપશે. તેમણે કહ્યું કે જો મિસાઈલ, રોકેટ, ડ્રોન અથવા અન્ય કોઈ સાધનથી હુમલો કરવામાં આવશે તો અમેરિકી કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે ખાસ કરીને ઈરાનના પુલ અને પાવર પ્લાન્ટને સંભવિત નિશાન તરીકે ગણાવ્યા હતા. ટ્રમ્પના જણાવ્યા મુજબ ઈરાનની રાજધાની તેહરાન અને તેની આસપાસ આવેલા મહત્વપૂર્ણ સ્થળો પણ અમેરિકાની કાર્યવાહી હેઠળ આવી શકે છે. તેમની આ ચેતવણીથી અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ ઊભો થવાની શક્યતા છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહ્યો છે સૈન્ય તણાવ ટ્રમ્પની આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, અમેરિકી સેનાએ ઈરાન વિરુદ્ધ સતત અનેક સૈન્ય કાર્યવાહી કરી છે. અમેરિકાના દાવા પ્રમાણે તેની સેનાએ ઈરાનના સૈન્ય ઓપરેશન સેન્ટર, દરિયાઈ ક્ષમતા સાથે જોડાયેલા સ્થળો, વિમાન હેંગર, ડ્રોન સ્ટોરેજ અને સૈન્ય લોજિસ્ટિક્સ સંબંધિત સુવિધાઓને નિશાન બનાવ્યા હતા. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહીનો હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી બનાવવાનો છે. બીજી તરફ ઈરાન પણ અમેરિકાની કાર્યવાહી સામે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ કેમ છે મહત્વપૂર્ણ? સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર્શિયન ગલ્ફ અને અરબી સમુદ્રને જોડતો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વિશ્વના મોટા પ્રમાણમાં કાચા તેલનો પુરવઠો આ માર્ગ પરથી પસાર થાય છે. જો આ વિસ્તારમાં કોઈ મોટી સૈન્ય અથડામણ થાય તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નહીં રહે. વૈશ્વિક તેલના ભાવ, આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્ર પર પણ તેની સીધી અસર પડી શકે છે. આ કારણે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ મુદ્દો બની છે. 30થી વધુ વેપારી જહાજો પર હુમલાનો અમેરિકાનો આરોપ અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ઈરાને છેલ્લા કેટલાક મહિનામાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા 30થી વધુ વેપારી જહાજો પર હુમલા કર્યા છે. અમેરિકાના જણાવ્યા મુજબ આ હુમલાઓને કારણે દરિયાઈ સુરક્ષા અંગે ચિંતા વધી છે. જોકે, આ મામલે ઈરાન તરફથી અલગ દાવા અને પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે. મધ્ય પૂર્વની સ્થિતિ પર નજર ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે મધ્ય પૂર્વની સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ સમગ્ર વિશ્વની નજર એ વાત પર છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ તણાવ વધુ વધે છે કે પછી રાજદ્વારી પ્રયાસો દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં આવે છે. વિશ્વની નજર મધ્ય પૂર્વની આગામી સ્થિતિ પર ટ્રમ્પની નવી ચેતવણી બાદ હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર અમેરિકા અને ઈરાન વચ્ચેના આગામી પગલાં પર છે. નિષ્ણાતોના મતે જો હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ મોટી સૈન્ય કાર્યવાહી થાય તો તેની અસર માત્ર એક વિસ્તાર પૂરતી નહીં રહે પરંતુ સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને સુરક્ષા પર પડી શકે છે. હાલમાં રાજદ્વારી પ્રયાસો દ્વારા તણાવ ઘટાડવાની માંગ પણ વધી રહી છે. વિશ્વના દેશો ઈચ્છે છે કે મધ્ય પૂર્વમાં સ્થિરતા જળવાઈ રહે અને કોઈ મોટી અથડામણ ટાળી શકાય. જો આ વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય અથવા જહાજોની અવરજવર પર અસર થાય તો તેની સીધી અસર વૈશ્વિક તેલના ભાવ અને અર્થતંત્ર પર પડી શકે છે. આ કારણે વિશ્વના અનેક દેશો હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર નજર રાખી રહ્યા છે. કોઈપણ મોટી અથડામણ આંતરરાષ્ટ્રીય વેપાર માટે મોટો પડકાર બની શકે છે. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive X : https://x.com/bindia276
પાકિસ્તાનના ભક્કારમાં આત્મઘાતી વિસ્ફોટ: 2 પોલીસ જવાનોના મોત, 4 ઘાયલ
પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે આત્મઘાતી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે પોલીસ કર્મીઓના મોત થયા છે જ્યારે ચાર અન્ય જવાનો ઘાયલ થયા છે. CCTVમાં કેદ થયા દ્રશ્યો જિલ્લા પોલીસ અધિકારી શહેઝાદ રફીકના જણાવ્યા મુજબ, પોલીસ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે હુમલાખોર ચેકપોસ્ટ તરફ આગળ વધ્યો. સુરક્ષાકર્મીઓની નજીક પહોંચતા જ તેણે પોતાના શરીર પર બાંધેલા વિસ્ફોટકો સક્રિય કરી દીધા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. વિસ્તારમાં અફરાતફરી વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કારણોસર ખૈબર પખ્તુનખ્વા અને પંજાબને જોડતો મુખ્ય હાઈવે અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યો છે. ડેરા દરિયા ખાન પુલ નજીક વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઉગ્રવાદી સંગઠને લીધી જવાબદારી આ હુમલાની જવાબદારી ‘અંસાર-અલ-ઇસ્લામ પાકિસ્તાન’ નામના ઉગ્રવાદી સંગઠને લીધી છે, જે ‘ઇત્તેહાદ ઉલ મુજાહિદ્દીન પાકિસ્તાન’ સાથે સંકળાયેલ હોવાનું જણાવાયું છે. સંગઠને દાવો કર્યો છે કે તેમનો આત્મઘાતી હુમલાખોર અબુ દરદા આ વિસ્ફોટમાં સામેલ હતો. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ: 5 સ્થળોએ ભારે ગોળીબાર, એરસ્ટ્રાઈકમાં 70 આતંકીઓનો નાશ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી વધ્યો છે. રિપોર્ટ અનુસાર 24 ફેબ્રુઆરીના સાંજના સમયે પાકિસ્તાની સેનાએ ઉરઘા બોર્ડર નજીક અફઘાનિસ્તીની પોસ્ટ પર તોપમારો કર્યો. સરહદ પર ઉરાઘા, જકા ખેલ, વરઘા, શાહકોટ અને લંદી કોટલ જેવા પાંચ વિસ્તારમાં ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. પાકિસ્તાનનો એર્ગ્રેસિવ જવાબ પાકિસ્તાનનો દાવો છે કે રવિવારે (23 ફેબ્રુઆરી) આતંકી હુમલાઓના બદલો તરીકે તેણે અફઘાનિસ્તાનમાં આઠ હવાઈ હુમલાઓ કરીને 70 આતંકીઓને ઠાર માર્યા છે. આ હુમલામાં એક જ પરિવારના 19 લોકોના મોત થયા હોવાનું પણ પ્રારંભિક રિપોર્ટ્સમાં જણાવાયું છે. પાકિસ્તાનના આરક્ષ મંત્રાલયે જણાવ્યું છે કે આ આતંકીઓ અફઘાનિસ્તાનના ટેરિટરીનો ઉપયોગ કરી પાકિસ્તાનમાં હુમલાઓ કરી રહ્યા હતા. શનિવારે ખૈબર પખ્તુનખ્વા પર આત્મઘાતી હુમલો 21 ફેબ્રુઆરીના રોજ ખૈબર પખ્તુનખ્વાના બન્નુમાં આત્મઘાતી હુમલામાં એક આર્મી લેફ્ટનન્ટ કર્નલ અને એક સૈનિકના મોત થયા. આ હુમલામાં ટહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓનું નામ આવ્યુ છે. માહિતી મંત્રાલય અનુસાર આ હુમલાઓ માટે અફઘાનિસ્તાન સ્થિત ટીટીપી અને આઈએસકેપીના આતંકીઓ જવાબદાર છે. પાકિસ્તાન-તાલિબાન વિવાદ પાકિસ્તાનના દાવો પ્રમાણે, ટીટીપીના આતંકીઓ લાંબા સમયથી સરહદ પાર થઈ હુમલાઓ કરી રહ્યા છે. તાલિબાન સરકાર અને ટીટીપી આ આક્ષેપોને નકારી છે. પાકિસ્તાનનું માનવું છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પોતાના વિસ્તારમાં આતંકીઓના પ્રવાહને રોકવામાં નિષ્ફળ રહી છે. સરહદી તણાવની સ્થિતિ તાજેતરના હવાઈ હુમલાઓ અને ગોળીબાર બાદ સુરક્ષા તંત્ર ચેતી ગયું છે. લોકોનો જીવનસંગ્રહ ખતરામાં હોવાનું અફઘાન પોલીસના સૂત્રો દ્વારા જણાવાયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટના પર ચિંતાનો માહોલ ફેલાયો છે, અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. આ પગલાં સરહદ પર અત્યારે ખતરનાક પરિસ્થિતિ સર્જી રહ્યા છે, અને સ્થાનિક નાગરિકો માટે જાગૃત રહેવું જરૂરી બન્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ હિંસા: અલ મેન્ચોનું મોત, 20 રાજ્યોમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ
મેક્સિકોમાં જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG)ના હેડ અને વિશ્વના સૌથી ખતરનાક ડ્રગ લોર્ડ્સમાંના એક, નેમેસિઓ ઓસેગુએરા સર્વાંટેસનું મોત થવાથી દેશભરમાં તોફાન સર્જાયું છે. અલ મેન્ચોનું મૃત્યુ 22 ફેબ્રુઆરીના રોજ જલિસ્કો રાજ્યના તપાલપા શહેરમાં મેક્સીકન આર્મીના સ્પેશિયલ ઓપરેશનમાં થયું, જેમાં આર્મી, એરફોર્સ અને નેશનલ ગાર્ડના સૈનિકો જોડાયેલા હતા. યુએસ ગુપ્તચર એજન્સીઓની પણ મદદ લેવામાં આવી હતી. આ ઓપરેશનમાં અલ મેન્ચો અન્ય 8 કાર્ટેલ મેમ્બર સાથે મર્યો. મેક્સિકન સરકારની પુષ્ટિ અને પ્રતિક્રિયા મેક્સીકન સંરક્ષણ મંત્રી અને રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમએ અલ મેન્ચોના મૃત્યુની પુષ્ટિ કરી. વ્હાઇટ હાઉસે યુએસ સહયોગની માહિતી આપી, અને આને ડ્રગ્સ સામે મોટી સફળતા માન્યું. હિંસા અને તાકીદી સ્થિતિ અલ મેન્ચોના મોત બાદ CJNGના સભ્યોએ બદલો લેવા હિંસક હુમલાઓ શરૂ કર્યા. 20 રાજ્યોમાં 250 થી વધુ માર્ગો બંધ, બસો અને દુકાનોમાં આગ, સિક્યોરિટી ફોર્સ પર હુમલો. જલિસ્કોમાં સૌથી વધારે હિંસા: 6 હુમલાઓમાં 25 નેશનલ ગાર્ડ સભ્યો, 1 જેલ ગાર્ડ, 1 સરકારી અધિકારી અને 1 મહિલા માર્યા ગયા. અનેક શહેરોમાં કર્ફ્યુ લાગૂ, ફૂટબોલ મેચો રદ, 2500 એડિશનલ સૈનિકો તૈનાત. અન્ય વિશ્લેષકો અનુસાર CJNGમાં ઉત્તરાધિકાર માટે લડાઈ શરૂ થઈ શકે છે, જેના કારણે આગામી સમયમાં હિંસા વધવાની શક્યતા છે. અમેરિકાના નાગરિકો માટે એલર્ટ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નાગરિકોને ઘરમાં કે હોટલમાં રહેવાની સલાહ આપી. યુએસ એરલાઇન્સે પ્યુર્ટો વલાર્ટા માટેની ફ્લાઇટ્સ રદ કરી, જેના કારણે પ્રવાસીઓ ફસાયા. પ્રવાસીઓએ ફૂડ, પાણી અને પરિવાર સાથે સંપર્કમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. મેક્સિકોમાં પ્રવાસી યુએસ નાગરિકો માટે આ પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે, અને હવામાન અને સુરક્ષા પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દિલ્હીમાં AI સમિટમાં યુવા કોંગ્રેસના શર્ટલેસ વિરોધ પ્રદર્શન પર FIR નોંધાઈ, ચાર કાર્યકરોની ધરપકડ
દિલ્હી પોલીસે Indian Youth Congressના ચાર કાર્યકરોને AI ઇમ્પેક્ટ સમિટમાં શર્ટલેસ વિરોધ પ્રદર્શન કરવા અંગે FIR નોંધતા કડક કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પર જાહેર સેવક પર હુમલો, આદેશનો અનાદર, ગેરકાયદેસર સભા અને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કેસ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 61(2) હેઠળ નોંધાયો છે. ધરપકડ કરાયેલા કાર્યકરો – કૃષ્ણ હરિ – બિહારના રાષ્ટ્રીય સચિવ – કુંદન યાદવ – બિહારના રાજ્ય સચિવ – અજય કુમાર – ઉત્તરપ્રદેશના પ્રદેશ પ્રમુખ -નરસિંહ યાદવ – તેલંગાણાના કાર્યકર ઘટના વિગતવાર શુક્રવારે સવારે, અંદાજે 10 કાર્યકરો પોતાના શર્ટ ઉતારીને હોલ નં.5ના લોબી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક આરોપીઓએ સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ સાથે ઝપાઝપી કરી. પોલીસકર્મીઓએ બધા વિરોધકારીઓને અટકાવી, FIR નોંધાઈ અને ચાર આરોપીઓ આજે મોડેથી પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શક્ય મોટું ષડયંત્ર? તપાસકર્તાઓ તપાસી રહ્યા છે કે આ પ્રદર્શન પાછળ કોઈ મોટા ષડયંત્રનો સંબંધ છે કે કેમ. વિરોધકારોએ QR કોડ મારફતે ઓનલાઈન નોંધણી કરી હોલમાં પ્રવેશ કર્યો હતો. કેટલાકોએ છાપેલા સ્ટીકરો ટી-શર્ટ પર લગાવવાની યોજના પણ બનાવી, જે તપાસ હેઠળ છે. પોલીસે પગલાં કડક બનાવ્યા પોલીસ દ્વારા સમગ્ર AI સમિટ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્લી-એનસીઆર વિસ્તારમાં યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના સંબંધમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ પગલાં વિધિસભ્ય અને સુરક્ષા વ્યવસ્થાને જાળવવા માટે લેવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો, જૈશ-એ-મોહમ્મદ જવાબદાર
નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા હમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે એક સભ્ય દેશના સૂચન અનુસાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ખુલાસા પછી પાકિસ્તાનની ભૂમિકા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ચર્ચા તીવ્ર બની છે. હુમલામાં 15 લોકોના મોત UNના અહેવાલ અનુસાર, 9 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પર થયેલા આ હુમલામાં 15 લોકોનું મોત થયું. આ ઘટના ભારત માટે અત્યંત ગંભીર હતી, કારણ કે લાલ કિલ્લો દેશના ઇતિહાસ અને ગૌરવનું પ્રતીક છે. જૈશ-એ-મોહમ્મદે અગાઉ પણ અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં લાલ કિલ્લાનો હમલો પણ સામેલ છે. જૈશ-એ-મોહમ્મદનો ઇતિહાસ અને નવો વિકાસ જૈશ-એ-મોહમ્મદ ખાસ કરીને ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલું સંગઠન છે. આ સંગઠનનો વડો મસૂદ અઝહર છે, જે અનેક હુમલાઓ માટે જવાબદાર રહ્યો છે. UN અહેવાલ અનુસાર, 8 ઓક્ટોબરે મસૂદ અઝહરે ‘જમાત-ઉલ-મુમિનત’ નામની મહિલા શાખાની રચના કરી છે, જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સહાયતા અને સમર્થન આપવા માટે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નવી મહિલા પાંખની રચના આતંકવાદી સંગઠનની બદલાતી વ્યૂહરચનાનો સંકેત આપે છે. જ્યારે સુરક્ષા દળો દબાણ વધારતા છે, ત્યારે સંગઠનો નવા Recruitment મોડેલો, પ્રચાર માધ્યમો અને પ્રતીકાત્મક સ્થળોને નિશાન બનાવવા જેવા નવા રસ્તાઓ શોધે છે. UN મોનિટરિંગ ટીમની ચેતવણી UN ટીમે જણાવ્યું છે કે સતત આતંકવાદ વિરોધી કાર્યવાહી હોવા છતાં, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો સંપૂર્ણ નબળા પડ્યા નથી. કેટલાક દેશો તેને સક્રિય અને ખતરનાક ગણાવે છે, જ્યારે કેટલાક દેશોનું માનવું છે કે તેની શક્તિ ઘટી ગઈ છે. આ મતભેદો આંતરરાષ્ટ્રીય સહયોગ માટે પડકારરૂપ બની શકે છે. આંતરરાષ્ટ્રીય સહયોગ અને સુરક્ષા જરૂરી આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પ્રતીકાત્મક અને ઐતિહાસિક સ્થળો આતંકવાદીઓ માટે હજી પણ નિશાન છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ, માહિતી વહેંચણી અને કડક કાર્યવાહી અત્યંત જરૂરી બની છે. સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે એકજૂટ અભિગમ અપનાવવા માટે સમયની માગ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
જમ્મુ-કાશ્મીર: સાંબામાં BSFની મોટી સફળતા: પાકિસ્તાન ઘુસણખોરને ઝડપી પાડ્યો
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં **ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF)**એ રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે. આરોપીની અટકાયત કરી સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ BSFે રામગઢ સેક્ટરમાં બલ્લાર સરહદ ચોકી પાસે ઘુસણખોરની સક્રિયતા જોતી હતી અને તેને કાબૂમાં લીધું. હાલ, ઘુસણખોરના સરહદ ક્રોસિંગનું હેતુ નક્કી કરવામાં આવી રહ્યું છે. યાદ રહે કે, અગાઉ 26 જાન્યુઆરીના રોજ પણ સાંબા જિલ્લામાં એક પાકિસ્તાની ઘુસણખોર BSF દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો, જેને મોહમ્મદ આરિફ (ઉંમર 61, લાહોર નિવાસી) તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ કાર્યવાહી BSFના સઘન સરહદ સુરક્ષા આયોજન અને કડક દેખરેખનું પ્રતીક છે, જે ભારત-પાકિસ્તાન સરહદ પર સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. ઈરાનમાં રસ્તાઓ અને સંચાર સેવાઓ ઠપ આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, સુરક્ષા કારણોસર ઈરાને અનેક મુખ્ય રસ્તાઓ બંધ કર્યા છે તેમજ હવાઈ મુસાફરી પર મર્યાદાઓ લાદી છે. સાથે જ ઘણા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે. દુનિયાભરની અનેક એરલાઈન્સે ઈરાન તરફની ફ્લાઈટ્સ રદ કરી છે, જેના કારણે વિદેશી નાગરિકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અમેરિકાએ તેના નાગરિકોને શું સલાહ આપી? – અમેરિકન વિદેશ વિભાગે ઈરાનમાં રહેલા નાગરિકોને નીચે મુજબની સલાહ આપી છે: – અમેરિકી સરકારના ભરોસે બેસી ના રહો, તાત્કાલિક ઈરાન છોડો – શક્ય હોય તો આર્મેનિયા અથવા તુર્કીયે તરફ જાવ – ઈરાનમાં ઈન્ટરનેટ, મોબાઈલ નેટવર્ક અને રસ્તાઓ બંધ થઈ રહ્યા છે – જો દેશ છોડવો શક્ય ન હોય તો ખોરાક અને પાણીનો જથ્થો રાખી સુરક્ષિત જગ્યાએ આશરો લો – સ્થાનિક મીડિયાની માહિતી પર નજર રાખો અને કોઈ સાથે વાદવિવાદમાં ના પડો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















