છત્તીસગઢમાં નક્સલીઓ સાથે સુરક્ષાદળોની અથડામણમાં 4 નક્સલીઓ ઠાર, એક જવાન શહીદ

છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે.. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા છે. -> દક્ષિણ અબુઝહમાદના જંગલમાં નક્સલીઓ સાથે અથડામણ :- અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના DRG સાથે STF સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર દક્ષિણ અબુઝહમાદના જંગલમાં ગઈ હતી. જ્યાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી,જેમાં ચાર નક્સલીઓને ઠાર કરાયા છે. -> ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા :- તેમણે કહ્યું કે શનિવારે મોડી રાત્રે ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના શબ અને એકે-47 રાઇફલ…