છત્તીસગઢમાં નક્સલીઓ સાથે સુરક્ષાદળોની અથડામણમાં 4 નક્સલીઓ ઠાર, એક જવાન શહીદ

છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે.. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા છે.

-> દક્ષિણ અબુઝહમાદના જંગલમાં નક્સલીઓ સાથે અથડામણ :- અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના DRG સાથે STF સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર દક્ષિણ અબુઝહમાદના જંગલમાં ગઈ હતી. જ્યાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી,જેમાં ચાર નક્સલીઓને ઠાર કરાયા છે.

-> ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા :- તેમણે કહ્યું કે શનિવારે મોડી રાત્રે ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના શબ અને એકે-47 રાઇફલ અને સેલ્ફ-લોડિંગ રાઇફલ (SLR) સહિત અત્યાધુનિક હથિયારો મળી આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે ડીઆરજી હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમે પણ એન્કાઉન્ટરમાં જીવ ગુમાવ્યો છે.. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

-> વર્ષ 2025માં આ બીજું એન્કાઉન્ટર :- તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં વર્ષ 2025માં આ બીજું એન્કાઉન્ટર છે. આ પહેલા 3 જાન્યુઆરીએ છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોને ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. કેટલાક અન્ય નક્સલવાદીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે.

Related Posts

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *