અમદાવાદમાં સાબરમતી નદી ખાલી કરવામાં આવી, જાણો તે પાછળ શું છે કારણ..

અમદાવાદના હૃદય સમાન સાબરમતી નદી હવે તેના સંપૂર્ણ સ્વરૂપમાં શ્વાસ લેશે. રાજ્યના સિંચાઈ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે નદીના તળિયાની વિશાળ સફાઈ અને પુનઃજીવન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નદીને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે ખાલી કરવામાં આવી રહી છે જેથી તેનું તળિયું સાફ કરી શકાય.   SRFDCL એ એક નોંધમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારના અમદાવાદ સિંચાઈ વિભાગ, નર્મદા જળ સંસાધન અને કલ્પસર વિભાગના કાર્યકારી ઇજનેર કાર્યાલયની માંગણીના જવાબમાં, બંધની સલામતી અને પૂર્વ-ચોમાસા સમારકામને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજ પર ગેટ રિપેર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્ય 12 મે, 2025 થી 5 જૂન, 2025 સુધી હાથ ધરવામાં આવશે.   વધુમાં, વાસણા બેરેજના ઉપરના ભાગમાં માટીનો રેમ્પ બનાવવાનું કામ હાથ ધરવામાં…