સુરત પાસે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, UPના રાજ્યપાલ સુરક્ષિત; બે કોચના કાચને નુકસાન
મુંબઈથી અમદાવાદ તરફ દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવતા રેલવે સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે. ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ સુરતથી આગળ વધી ઉત્રાણ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રેન 22961 મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચાલે છે અને સુરત તેનો મહત્વનો સ્ટોપ છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ખાસ બાબત એ છે કે આ જ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. રાજ્યપાલની હાજરીને કારણે ઘટનાની ગંભીરતા વધુ…
અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત
અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો. ઘટનાની વિગત ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય. પોલીસ અને રેલવેની કામગીરી ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી…
શ્રીધામ એક્સપ્રેસમાં બોમ્બની ધમકીથી હડકંપ : મથુરા જંકશન પર તાત્કાલિક તપાસ, ધમકી ખોટી સાબિત
દિલ્હીના લાલ કિલ્લા નજીક 11 નવેમ્બરના વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન દિલ્હી તરફ આવતી શ્રીધામ એક્સપ્રેસના જનરલ કોચમાં બોમ્બ હોવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો. મુસાફરો પણ ગભરાઈ ગયા અને રેલ્વેની સુરક્ષા વ્યવસ્થા તરત જ સક્રિય થઈ ગઈ. મથુરા જંકશન પર અટકાવી સઘન તપાસ બોમ્બ એલર્ટ મળતાં જ શ્રીધામ એક્સપ્રેસને મથુરા જંકશન પર રોકવામાં આવી. RPF, GRP, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમોએ જનરલ કોચની સઘન તપાસ કરી. સમગ્ર કોચ, સીટો, લગેજ રેક વિસ્તાર અને નીચેનો ભાગ વિગતે ચકાસવામાં આવ્યો, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને ધમકી ખોટી હોવાનું સ્પષ્ટ થયું. મુસાફરોને ત્યારબાદ રાહતનો શ્વાસ મળ્યો. ભોપાલથી મળેલી ચેતવણી બાદ ઝાંસી—આગ્રામાં પણ ચેકિંગ બોમ્બની ધમકી ભોપાલથી મળી…









