ફારૂક અબ્દુલ્લા માતા વૈષ્ણોદેવીની ભક્તિમાં થયા લીન, ગાયુ ‘તુને મુજે બુલાયા શેરાવાલીયે’
નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા એક સદાબહાર રાજકારણી છે. રાજકારણની સાથે, ધાર્મિક મુદ્દાઓ પર તેમના જુદા જુદા વિચારો સમયાંતરે જોઈ શકાય છે. ફરી એકવાર ફારુક અબ્દુલ્લા વૈષ્ણો દેવી મંદિર પાસે કટરા સ્થિત એક આશ્રમમાં માતા વૈષ્ણો દેવીની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા. તેમણે કટરા આશ્રમમાં ‘તુ ને મુઝે બુલાયા શેરાવાલીયે’ ભજન ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.હવે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અગાઉ એપ્રિલ 2024 માં પણ તેમનો રામધૂન ગાતો એક વીડિયો વાયરલ થયો હતો. -> રોપવેના મુદ્દા પર કટરાના લોકોને ટેકો આપ્યો :- હકીકતમાં, ફારુક અબ્દુલ્લા, કટરા સ્થિત એક આશ્રમમાં ‘ભજન’ કાર્યક્રમમાં એક ગાયક અને બાળકો સાથે જોડાયા, તેમણે ગાયું, ‘તુને મુઝે બુલાયા શેરાવાલીયે, મૈં આયા, મૈં…
રોપ-વે પ્રોજેક્ટના વિરોધમાં વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ દ્વારા યાત્રાધામમાં આજથી 3 દિવસ બંધનું એલાન
વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિએ મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવી રહેલા રોપવે પ્રોજેક્ટના વિરોધમાં 25 ડિસેમ્બરથી ત્રણ દિવસ માટે કટરાને સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરી છે જેના કારણે ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે અગાઉ મંગળવારે વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ અને વહીવટીતંત્ર વચ્ચે વાતચીત થઈ હતી જે સફળ રહી હતી, વહીવટીતંત્રે ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ બંધ કરવામાં આવશે, પરંતુ વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિ વહીવટીતંત્ર પાસેથી લેખિતમાં આ ખાતરી ઈચ્છે છે. હાલ વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા બનાવવામાં આવી રહેલા રોપ-વેનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે. -> હડતાળ દરમિયાન શું બંધ ? :- આજે બંધના પ્રથમ દિવસે, કટરામાં તમામ દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ બંધ રહી છે, આ સાથે, 14 કિમી પેસેન્જર ટ્રેક પર કાર્ટ ડ્રાઇવરો…








