મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન થયો. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ સાધુ સ્વરૂપે અહીં હાજરી આપે છે. આ માન્યતાને પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અંદાજે 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં ભવ્ય રવેડી નીકળી હતી. વિવિધ અખાડાના નાગા સાધુઓ રવેડીમાં સામેલ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે નાગા સાધુઓએ અવનવા કરતબ રજૂ કર્યા હતા. રસ્તાની બંને બાજુ બપોરથી જ ભાવિકો ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિદેશી…
માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બુધવારે સાંજે મેળાના સેક્ટર-૪માં આવેલા તુલસી માર્ગ પર સ્થિત ‘બડે બ્રહ્મા છોટે બ્રહ્મા’ આશ્રમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં આશ્રમના અડધો ડઝનથી વધુ રહેણાંક તંબુઓ જોતજોતામાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. આશ્રમના સંચાલક કમલેશ્વર નાથ પાંડેએ જણાવ્યું હતું કે આગ લાગતી વખતે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ તંબુની અંદર પૂજા-પાઠ અને ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા. તંબુના પાછળના ભાગેથી અચાનક આગની જ્વાળાઓ દેખાતાં લોકો ગભરાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેતી…








