EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3,716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મુંબઈ સ્થિત તેમના ભવ્ય નિવાસ ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ પ્રોપર્ટીની અંદાજિત કિંમત રૂ. 3,716 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 માળનું આલિશાન નિવાસ ‘અબોડ’ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું આ 17 માળનું આલિશાન ઘર લગભગ 66 મીટર ઊંચું છે. આ પ્રોપર્ટી શહેરની સૌથી પ્રીમિયમ રહેણાંક મિલ્કતોમાંની એક ગણાય છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરીને આ મિલ્કત જપ્ત કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન કેસ સાથે જોડાણ માહિતી મુજબ, આ કાર્યવાહી Reliance Communications સાથે સંકળાયેલા કથિત બેંક ફ્રોડ કેસના ભાગરૂપે કરવામાં આવી છે. ઈડીના દાવા મુજબ કંપની સામે થયેલા આર્થિક અનિયમિતતાઓને લઈને તપાસ ચાલી રહી છે. ફરીથી ઈડી સમક્ષ હાજરી શક્ય 66 વર્ષીય અનિલ અંબાણી ફરી એકવાર ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થઈ શકે છે. અગાઉ તેઓ ઓગસ્ટ 2025માં ઈડી સમક્ષ હાજર થયા હતા અને PMLA હેઠળ તેમનું નિવેદન નોંધાયું હતું. નવી એટેચમેન્ટ સાથે આ કેસમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી મિલ્કતોની કુલ કિંમત આશરે રૂ. 15,700 કરોડ સુધી પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત
રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. EDની કાર્યવાહી હેઠળ કયા માલસામાન જપ્ત થયા? ED દ્વારા 4 અલગ-અલગ આદેશોના માધ્યમથી કંપનીઓના બેન્ક બેલેન્સ, બાકી લેણાં, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતો જપ્ત કરાયા છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેર પણ સામેલ છે. વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા ₹148 કરોડના બેન્ક બેલેન્સ અને ₹143 કરોડના બાકી લેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના રહેણાંક મકાન અને પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણો પણ EDએ જપ્ત કર્યા છે. પહેલા જ જપ્ત થયેલી સંપત્તિ ED અગાઉથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ સાથે સંબંધિત ₹10,117 કરોડની સંપત્તિ જપ્ત કરી ચુકી છે. અત્યાર સુધીમાં કુલ જપ્તી આશરે ₹12,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. RCOM પર લોન છેતરપિંડીના આરોપ તપાસ દરમિયાન EDએ ખુલાસો કર્યો કે અનિલ અંબાણી જૂથની કંપનીઓએ જાહેર ભંડોળનો દુરુપયોગ કર્યો અને ભંડોળને અન્ય જગ્યાએ વાપર્યું. 2017 અને 2019 વચ્ચે યસ બેન્કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જે પછી NPA બની ગયું. RCOM પર ₹40,000 કરોડથી વધુની લોન છેતરપિંડીના પણ આરોપો છે. ED જણાવે છે કે તપાસ ચાલુ છે અને ગુનામાંથી મળેલી રકમને પીડિતોને પરત કરવાના પ્રયાસો કરવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in








