ભુજમાં રાજનાથ સિંહે IMF મામલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ભુજ એરબેઝ પરથી પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. તેમણે પાકિસ્તાનને IMF દ્વારા આપવામાં આવતા બેલઆઉટ પેકેજ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે વૈશ્વિક સંગઠન દ્વારા પાકિસ્તાનને 1 અબજ રૂપિયાની સહાય આપવી એ ખોટો નિર્ણય છે. પાકિસ્તાન તેને મળતી મોટાભાગની સહાયનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા અને તેના આતંકવાદી માળખાને વિસ્તૃત કરવા માટે કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, “મારું માનવું છે કે પાકિસ્તાન IMF સહાયનો મોટાભાગનો ઉપયોગ દેશમાં તેના આતંકવાદી માળખાને વિસ્તૃત કરવા માટે કરશે. ભારત ઇચ્છે છે કે IMF પાકિસ્તાનને નાણાં આપવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરે.” અગાઉ, ગુજરાતના ભૂજ એરબેઝ પર વાયુસેનાના જવાનોનું મનોબળ વધારવા માટે આવેલા સંરક્ષણ મંત્રીએ સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “મારું કહેવું…