રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુરુવારે દિલ્હી પહોંચ્યા બાદ પીએમ મોદીએ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ એક જ કારમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. આજે પુતિનની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. આજનો દિવસ બંને દેશો વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી પુતિને ભારતની બે દિવસની મુલાકાતના બીજા દિવસે રાજઘાટની મુલાકાત…







