Punjabમાં ભાજપ-અકાલી દળ ગઠબંધન પર સસ્પેન્સ: ત્રણ મોટા પ્રશ્નો પર અટકી ચર્ચા

ચંદીગઢ : Punjabની રાજનીતિમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચે ફરીથી ગઠબંધનની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ હાલની સ્થિતિમાં બંને પક્ષો વચ્ચે અંતિમ સમજૂતી થઈ ગઈ હોવાનું કહેવું વહેલું છે. તાજેતરના અહેવાલોમાં ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે બીજી તરફ ભાજપ તરફથી Punjabમાં પોતાના બળે ચૂંટણી લડવાની તૈયારીના સંકેતો પણ મળ્યા છે. આ સમગ્ર રાજકીય સમીકરણ વચ્ચે પંજાબમાં મુખ્યત્વે ત્રણ મોટા પ્રશ્નો ચર્ચામાં છે—સીટ વહેંચણીનું ફોર્મ્યુલા શું હશે, બંને પક્ષોનું નેતૃત્વ અને મુખ્યમંત્રીપદ અંગે શું વલણ રહેશે અને ભાજપ-અકાલી દળ ફરી સાથે આવે તો તેનો સીધો ફાયદો કોને થશે? ભાજપ અને અકાલી દળનો જૂનો સંબંધ ભાજપ અને શિરોમણી અકાલી…