રાજકોટમાં નિવેદનથી વિવાદ: મોના થીબાની સ્પષ્ટતા અને જાહેર માફી

રાજકોટમાં ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબાના વેશ્યાવૃત્તિ અંગેના નિવેદનથી ઊભેલા વિવાદ બાદ તેમણે જાહેરમાં માફી માંગી છે. સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે અભિનેત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની વાત ફિલ્મના સંદર્ભમાં કરવામાં આવી હતી, પરંતુ તેને અલગ રીતે રજૂ કરવામાં આવી. વિવાદ બાદ મોના થીબાની સ્પષ્ટતા મોના થીબાએ જણાવ્યું કે, “મેં મારી આવનારી ફિલ્મ ‘શક્તિ’ના સંદર્ભમાં આ વાત કરી હતી. રિસર્ચ દરમિયાન વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે ચર્ચા થઈ હતી. ફિલ્મના સંદર્ભમાં કરેલી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગું છું. અમે સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છીએ.” ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન મોના થીબાએ વેશ્યાવૃત્તિને “એક પ્રકારની…

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ થયા ગુસ્સે, જાણો શું કહ્યું નિર્માતાએ..

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ ગુસ્સે થયા, નિર્માતાએ માફી માંગી, કહ્યું – આ ફક્ત એક ફિલ્મ નથી… ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરતી વખતે ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું.   પાકિસ્તાન વિરુદ્ધ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને લઈને સામાન્ય લોકો તેમજ ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન, ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. જોકે, આ નિર્ણય માટે તેમને સોશિયલ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડ્યો. હવે પોસ્ટ કરીને તેમણે માફી માંગી છે અને કહ્યું છે કે તેમનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા, નિર્માતા નિક્કી ભગનાની અને દિગ્દર્શક ઉત્તમ મહેશ્વરીએ કહ્યું કે દેશના…