વિરાટનગરમાં રૂ. 10.91 કરોડે 30 બેડનું અદ્યતન CHC શરૂ
– રખિયાલ, ઓઢવ અને નિકોલ સહિત આસપાસના હજારો નાગરિકોને નજીકમાં મફત સારવાર સુવિધા પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પૂર્વ ઝોનના નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા વિરાટનગર વોર્ડમાં અંદાજે રૂ. 10.91 કરોડના ખર્ચે 30 બેડ ક્ષમતાવાળું અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર શરૂ થતા વિરાટનગર ઉપરાંત રખિયાલ, ઓઢવ અને નિકોલ વિસ્તારના હજારો નાગરિકોને સીધો લાભ મળશે. બે માળના આ આરોગ્ય કેન્દ્રમાં ઈમર્જન્સી રૂમ, એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી તેમજ આંખ, હાડકાં અને કાન-નાક-ગળા વિભાગની ઓપીડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રથમ માળ પર પ્રસૂતિ સેવાઓ, પ્રસૂતા વોર્ડ, પીડિયાટ્રિક ઓપીડી અને ડેન્ટલ સારવારની વ્યવસ્થા છે, જ્યારે બીજા માળે ત્રણ આધુનિક ઓપરેશન થિયેટર તથા ડાયાલિસિસ રૂમ ઉભા કરાયા છે. મ્યુનિસિપલ તંત્રના…
સાવધાન! અમદાવાદ બની રહ્યું છે ડાયાબિટીસ-બીપીનું હબ: AMCના રિપોર્ટમાં ડરામણો ખુલાસો
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં હવે ‘લાઈફસ્ટાઈલ ડિસીઝ’નો રોગ નાગરિકોને ભરખી રહ્યો હોય તેવા ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2021થી 2025 દરમિયાન શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર્સ પર કરવામાં આવેલા 33 લાખ નાગરિકોના હેલ્થ સ્ક્રીનિંગમાં અત્યંત ડરામણું ચિત્ર ઉપસ્યું છે. કુલ સ્ક્રીનિંગના 19% એટલે કે અંદાજે 6.2 લાખ લોકો હાઈપરટેન્શન (બીપી) અને 17.2% એટલે કે 5.6 લાખ લોકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે. સાયલન્ટ કિલર: 30+ ની પેઢી રડારમાં- મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ બાદ લોકોમાં બિન-ચેપી રોગો (NCD)નું પ્રમાણ ઝડપથી વધ્યું છે. કેન્દ્ર સરકારના 2030 સુધીમાં આવા રોગોમાં 30% ઘટાડો કરવાના લક્ષ્યાંકને પહોંચી વળવા હવે 30 વર્ષથી વધુની વયના તમામ…
વાંકી કરોડરજ્જુને મળી સીધી રાહ: અમદાવાદમાં ઈન્ડો-અમેરિકન ડૉક્ટરો દ્વારા 7 બાળકોની નિઃશુલ્ક કાઇફોસ્કોલિયોસિસ સર્જરી સફળ
અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર 1000 બાળકોમાં 1 બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે. ‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી છે, જેમાં બાળકની કરોડરજ્જુ સાપની જેમ વાંકી વળી જાય છે, તેની સારવાર સામાન્ય મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ, ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના માધ્યમથી આ સ્વપ્ન હકીકત બન્યું છે. દર્દીના જીવનું જોખમ અને સર્જરીની જટિલતા સર્જરીની જટિલતા અંગે ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના…
પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ : 700 દર્દીઓને મફત પોષણ કીટ, 123 ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર
પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને વેગ આપવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા દ્વારા CSR અંતર્ગત અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના સહયોગથી 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા આશરે 4000 ટી.બી. દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાયથી ટી.બી.મુક્ત કરવામાં સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટી.બી. અસાધ્ય રોગ નથી અને સમયસર તથા સંપૂર્ણ દવાઓ લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે. પાટણ જિલ્લાની 123 ગ્રામ પંચાયતને ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ 486 ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા…
ગુજરાતમાં કુપોષણ મુદ્દે સરકારની કબૂલાત: 64.23% ગ્રાન્ટ વપરાઈ નહીં
ગુજરાતમાં બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ હોવા છતાં સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કુપોષિત બાળકો માટે ફાળવવામાં આવેલી કુલ ગ્રાન્ટમાંથી 64.23 ટકા રકમ ખર્ચવામાં આવી નથી. ₹1550 કરોડ ફાળવ્યા, પરંતુ ₹995.90 કરોડ બાકી વિધાનસભામાં ધારાસભ્યના સવાલના લેખિત જવાબમાં સરકારે માહિતી આપી કે વર્ષ 2025-26 માટે કુપોષણ નિવારણ માટે કુલ ₹1550 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી માત્ર ₹554.42 કરોડનો જ વપરાશ થયો છે, જ્યારે ₹995.90 કરોડ જેટલી મોટી રકમ વપરાયા વિના જ રહી ગઈ છે. કુપોષણ મુદ્દે સરકાર પર પ્રશ્નચિહ્ન રાજ્યમાં કુપોષણ જેવી ગંભીર સમસ્યા હોવા છતાં ફાળવાયેલાં નાણાંનો પૂરતો ઉપયોગ ન થવો પ્રશાસન પર સવાલ ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું…
અમદાવાદ : મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા યલો ફીવરની રસી માટે બે નવા સેન્ટર શરૂ
આફ્રિકા પ્રવાસે જવા ઇચ્છુક નાગરિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા યલો ફીવરની રસીકરણ સુવિધા વિસ્તૃત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવન ખાતે ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 9,900થી વધુ લોકોને અપાઈ રસી AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી ખાસ કરીને આફ્રિકા પ્રવાસે જતાં નાગરિકો માટે જરૂરી ગણાય છે, કારણ કે આ રોગનો પ્રકોપ મુખ્યત્વે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન અંદાજે 9,900 જેટલા લોકોને યલો ફીવરની રસી આપવામાં આવી હતી. આ રસી એક જ ડોઝમાં લેવાય છે અને લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. રસીની કિંમત કેટલી? યલો ફીવરની…
ગુજરાતમાં ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, રાજ્ય સરકારે લીધું કડક પગલું
ગુજરાત સરકારે ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું કરીને રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે આ વસ્તુઓનું વેચાણ ઈ-કોમર્સ, પાનના ગલ્લા, લારી અને દુકાનો પર પણ નહીં થઈ શકે. યુવાનો અને જાહેર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પગલું ગુજરાત સરકારે આ પગલું યુવાનોને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસમાં ભર્યું છે. રાજ્યમાં રોલિંગ પેપરની હેરાફેરી ગેરકાયદે ગણાશે. અમદાવાદમાં પોલીસે ઝડપ્યો મોટો જથ્થો અમદાવાદ શહેરની વટવા સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડ્યો અને 1,30,820 સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપર જપ્ત કર્યા. પોલીસે અતુલ ચૌહાણ નામના વેપારીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દ્વારા જાહેરને…
રાજ્યના આરોગ્ય વિભાગમાં 83 અધિકારીઓની બઢતી-બદલીના આદેશ, જાણો વિગત
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 83 અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયો છે અને આરોગ્ય વિભાગમાં કાર્યક્ષમતા વધારવાનું મુખ્ય ઉદ્દેશ છે. મુખ્ય ફેરફારો: મદદનીશ કમિશનર (ક્લાસ-1)ના 11 અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરાઇ. વર્ગ-2ના 34 ડ્રગ ઇન્સપેક્ટર અને વર્ગ-2 (મેટ્રિક લેવલ-8, ગ્રેડ પે)ના 28 ઔષધ નિરીક્ષકોની બદલી કરાઇ. વર્ગ-2ના 10 ડ્રગ ઇન્સપેક્ટરોને બઢતી આપી મદદનીશ કમિશનર (ક્લાસ-1) તરીકે નિયુક્તિ આપવામાં આવી. આ આદેશ હેઠળ અનેક સહાયક કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી આરોગ્ય વિભાગના કામગીરીમાં સુધારો લાવવામાં મદદ મળે. GAS કેડરના અધિકારીઓની ટ્રાન્સફર: ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 16 અધિકારીઓને વિવિધ વિભાગોમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ…
કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ, આરોગ્ય વિભાગે જાહેર કરી હાઈ-એલર્ટ એડવાઈઝરી
દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. અલાપ્પુઝાના કેટલાક વિસ્તારોમાં જોખમ વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, અલાપ્પુઝા જિલ્લાની બે ગ્રામ પંચાયતોમાં કાગડાઓમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો છે. સામાન્ય રીતે મરઘાં અને બતકમાં જોવા મળતો આ વાયરસ હવે કાગડાઓ અને જંગલી પક્ષીઓમાં જોવા મળતાં વન્યજીવ પ્રેમીઓ અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા ફેલાઈ છે. પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક દેખરેખ વધારી દીધી છે. પાણીના સ્ત્રોતોને લઈને ખાસ ચેતવણી આરોગ્ય વિભાગે જારી કરેલી એડવાઈઝરીમાં ખુલ્લા પાણીના સ્ત્રોતો જેમ કે તળાવ, કુવા…
ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના વધતા કેસ વચ્ચે કોંગો ફિવરનો પ્રથમ કેસ નોંધાયો, જાણો વિગત
ગાંધીનગર જિલ્લામાં ટાઈફોઈડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તે વચ્ચે હવે કોંગો ફિવરનો પહેલો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. પિંડારડા ગામમાં કોંગો ફિવર પોઝિટિવ આવેલા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કોંગો ફિવરનો કેસ મળતા આરોગ્ય વિભાગ સક્રિય કોંગો ફિવરનો કેસ સામે આવતા જ જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ▪️ પિંડારડા ગામમાં આરોગ્ય વિભાગની બે ટીમો તૈનાત ▪️ ગામમાં સર્વેલન્સ કામગીરી, ફોગિંગ અને દવા છંટકાવ શરૂ ▪️ પશુપાલન વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યો, કારણ કે કોંગો ફિવર પ્રાણીઓ અને ટિક્સ જેવા જંતુઓ દ્વારા ફેલાય છે આ પગલાંનો હેતુ સંક્રમણને વધુ ફેલાતું અટકાવવાનો છે. ટાઈફોઈડ અને કોંગો ફિવરથી ડબલ એલર્ટ ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં…
















