પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ હાઈ એલર્ટ પર

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. રાજભવનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, રાજ્યપાલને ગુરુવારે રાત્રે ઈમેઇલ મારફતે ધમકી આપવામાં આવી હતી. આ ઈમેઇલ મળતા જ તાત્કાલિક પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓને જાણ કરવામાં આવી છે. ધમકી આપનાર સામે કાર્યવાહી શરૂ રાજભવનના અધિકારીએ જણાવ્યું કે ધમકી આપનાર વ્યક્તિએ ઈમેઇલમાં પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો છે. આ બાબત અંગે રાજ્યના ડીજીપીને જાણ કરી દેવામાં આવી છે અને આરોપીની ઓળખ કરી તેની તાત્કાલિક ધરપકડ કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ આ ધમકી વિશે માહિતી આપવામાં આવી છે. રાજ્યપાલની સુરક્ષામાં વધારો – ધમકી મળ્યા બાદ રાજ્યપાલની સુરક્ષા વધુ…

અમદાવાદ–ગાંધીનગર એલર્ટ: શાળાઓને બોમ્બની ધમકી બાદ સચિવાલયમાં સઘન ચેકિંગ, સુરક્ષા વધારી

અમદાવાદમાં આજે અનેક શાળાઓને બોમ્બની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ચેકિંગ શરૂ કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીનગર સચિવાલયને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સચિવાલયમાં ચુસ્ત બંદોબસ્ત દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકી મળતા તંત્ર સાવચેત બન્યું છે. રાજધાની ગાંધીનગરના સચિવાલયમાં સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. સચિવાલયની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારાયું છે. સુરક્ષાના ભાગરૂપે બહારના રસ્તાઓ પર ફૂલના કુંડા સહિતની વસ્તુઓ તપાસવામાં આવી રહી છે અને આવન-જાવન કરતા તમામ લોકોની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પાટનગર વિસ્તારમાં ખાનગી વાહનોનું પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. શાળાઓમાં સ્વૈચ્છિક…

દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા

દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા મુખ્ય છે. અંબાજી, સોમનાથ મંદિરે સુરક્ષા વધારી: શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષા બંદોબસ્ત સઘન રીતે વધારવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતા શ્રદ્ધાળુઓ અને તેમના સામાનની ચેકિંગ તદ્દન સખત છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસના ચેકિંગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે સઘન ચેકિંગ: રાજ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. વિકાસ સહાયે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારે મજબૂત કરવામાં આવશે. રાજ્યના મહાનગરો, તેમજ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂછપરછ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…