Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા

વડોદરામાં 11 માર્ચના રહસ્યમય રીતે ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિની 3 દિવસથી ગુમ હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે. જાસપુર-લકડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા, બુટ અને મોબાઈલ મળી આવ્યા હતા.જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં બ્રાહ્મણ સમાજની મેગા બિઝનેસ સમિટનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યાં હાજર મળતી માહિતી અનુસાર, યુવતી ભાયલીમાં ભાઈ સાથે રહીને અભ્યાસ કરતી હતી. માતા-પિતા ન હોવાથી યુવતી તેના ભાઈ સાથે રહેતી હતી. 11 માર્ચે રહસ્યમય સંજોગોમાં યુવતી ગુમ થઈ હતી. યુવતીની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. પરિવારે યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. પાદરા પોલીસે ડોગ સ્કવોડની મદદ લઈ ઝીણવટભરી તપાસ…

Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે,રાજકુમાર જાટના મોતને લઇ પોલીસનો દાવો છે કે અકસ્માતમાં તેનું મોત થયું છે એટલે કે બસની અડફેટે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,પોલીસે ખાનગી બસને પણ ગુનામાં લીધી છે અને ડ્રાઈવર અને કલિનરની અટકાયત કરી છે. આ પણ વાંચો :- Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો અકસ્માતમાં રાજકુમાર જાટનું થયું મોતઃ પોલીસ :- સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યું હતું કે રાજકુમારના મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઇજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે…

Valsad : વલસાડમાં યુવતીએ નંદીમાં ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી

વલસાડનાં પારડીમાં નદીમાં એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી દ્વારા પુલ પર થોડો સમય ઉભા રહ્યા બાદ અચાનક જ નદીમાં છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને થતા તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને યુવતીને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. મહામહેનતે તરવૈયાઓ દ્વારા યુવતીને બહાર કાઢવામાં આવી હતી. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે ચંદ્રપુરનાં તરવૈયાઓએ સાડીની મદદથી યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવતી દ્વારા સાડીનો છેડો પકડી લીધો હતો. જે બાદ મહા મહેનતે યુવતીને નદીમાંથી બહાર કાઢી તેનાં ઘરે સલામત રીતે મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ વીડિયો બે દિવસ બાદ…

Jamnagar : જામનગરમાં ખૂની ખેલ ખેલાયો, બે સગા ભાઈ પર હુમલાની ઘટનામાં એક ભાઈનું મોત

જામનગરના મોરકંડાના ધારમાં ખુની ખેલ ખેલાયો છે જેમાં પાડોશી દ્વારા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે તો અન્ય ભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.સામાન્ય બોલાચાલીમાં પાડોશીએ હુમલો કર્યો હતો. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે મળતી માહિતી મુજબ, જીવલેણ હુમલામાં મુન્ના રબારી નામના યુવકનું મોત થયું છે તો મુકેશ રબાણી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો છે.પોલીસે સમગ્ર મામલે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે.…

Rajkot : રાજકોટ હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ

રાજકોટમાં હોળી-ધુલેટીના પર્વને લઇ તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ન બને તે માટે રાજકોટ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. ધુળેટીના દિવસે શુક્રવાર હોવાથી તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ છે. આ પણ વાંચો :- gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા પોલીસકર્મીઓની રજાઓ રદ્દ કરાઇ :- હોળી અને ધુળેટી સાથે શુક્રવારની નમાઝને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. હોળી-ધુળેટી પર્વને લઇ હેડક્વાર્ટર સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ, SOG એલસીબી સહિતની બ્રાન્ચના અધિકારીઓ અને…

Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું

મોરબીમાં સત્તત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસનું બુલડોઝ ફેરવવામાં આવ્યું છે. SP રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માળીયા મિયાણામાં ફારુક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ પણ વાંચો :- Sabarkantha : સાબરકાંઠામાં લાંચિયો ઉપ સરપંચ ઝડપાયો, ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચે 16 હજારની માગી હતી લાંચ મહત્વનું છે કે, ફારુક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પડવામાં આવી છે. મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ડિમોલિશનની કામગીરીને લઇ માળીયાના મામલતદાર, રેવન્યુ વિભાગની ટીમ સહિતના પોલીસ અધિકારીઓની ટીમને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે…

Botad : બોટદામાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો, SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડયો

રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. બોટદામાં ડિગ્રી વગર પ્રેકટીસ કરનાર વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. બોટાદના ગ્રામ્ય પંથકમાંથી SOG પોલીસે રેડ પાડીને બોગસ ડોકટરને ઝડપી પાડયો છે. આરોપી ભદ્રાવડી ગામે ડિગ્રી વગરનો ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ડિગ્રી વગરનો ડોકટર સારવારના બહાને લોકો પાસેથી પૈસા પડાવે છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી ત્યાર બાદ પોલીસે રેડ પાડીને ડોકટરને ઝડપી પાડ્યો હતો. આરોપી ડોકટરની પૂછપરછ કરતા જાણવા મડ્યું હતું કે, બોગસ ડોક્ટર મૂળ કલકત્તાનો વતની છે. બોટાદના ભદ્રાવડી ગામેથી દવાખાનું ચલાવતો હતો. તેમની પાસેથી પોલીસને ટેબલેટ, સિરપ, ઈન્જેક્શનની સિરિંજ,બી.પી.મીટર મળી આવ્યા હતા. પોલીસે રેડ પાડી આરોપીની…

Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

કચ્છમાં સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂજમાં સરકારી જમીનને ખાનગી વ્યક્તિને ફાળવીને રૂપિયા 18 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે અગાઉ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પણ વાંચો :- ગુજરાત RTE એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપનારુ દેશનું પ્રથમ રાજય બન્યું, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે આપી માહિતી EDના અધિકારીઓએ 5 દિવસના રિમાન્ડની માંગણી કરીને કોર્ટને કહ્યું હતું કે, ભૂજની સર્વે નંબર 870 સરકારી જમીન ગેરકાયદે રીતે સંજય શાહને ફાળવી દીધી હતી.જેના કારણે સરકારને અંદાજે રૂપિયા 18 કરોડનું નાણાંકીય નુકસાન થયુ છે. ત્યારબાદ સરકારી જમીન ખરીદનાર સંજય શાહે ખેતીલાયકમાંથી બીનકૃષિ રહેણાકમાં…

Nadiad : નડિયાદમાં પરિણીતાનો આપઘાત, સંતાન નહીં થતાં પતિના ત્રાસથી હેરાન થઈ ગળે ફાંસો ખાધો

નડિયાદમાં પરિણીતાનો આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. લગ્નના સાત જ વર્ષમાં માત્ર 23 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાને સંતાન થતા ન થતાં પતિ અવારનવાર ઝઘડા કરતો હતો. એટલુ જ નહીં સાસુ સસરા પણ ત્રાસ આપતા હતા. જેથી ત્રાસથી કંટાળી પરિણીતા પિયર આવી હતી. પણ પિયરપક્ષે દિકરીનું ઘર ન તૂટે તે વિચારે સમજાવીને પરત મોકલી હતી. આખરે ત્રાસ સહન ન થતાં પરિણીતાએ આજે સવારે ફાંસો ખાઈ લીધો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલથી દાંડી સાયકલ યાત્રા થશે શરૂ, 1600 જેટલા યુવાનો લેશે ભાગ મહેમદાવાદના જરાવત ગામે રહેતા હિંમતસિંહ રતાજી ઝાલાએ આ મામલે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, તેમની નાની દિકરી દક્ષા (ઉં.વ.23)ના લગ્ન સાતેક વર્ષ પહેલાં…

Ahmedabad : અમદાવાદમાં એક તરફીપ્રેમનો કરુણ અંજામ, પરિણીતાએ લગ્નનની ના પાડતા યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો

અમદાવાદ શહેરમાં એક તરફી પ્રેમનો કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે શાકભાજીનો ધંધો કરતી પરિણીત મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષા ચાલક હિતેશ પટણીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મહિલાએ ઇનકાર કરતા રિક્ષા ચાલક પાગલ પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરી મહિલાને લોહીલુહાણ હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ આ મામલે મહિલાએ રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન કરવાની ના પાડતા એક તરફી પ્રેમીનો મહિલા પર હુમલો કર્યો હતો. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી મહિલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક શાકભાજીની લારી ચલાવીને વેપાર ધંધો કરે છે. જેથી તે જમાલપુરથી શાકભાજી લેવા માટે અવારનવાર બાપુનગર…