“વધુ સ્પિન નહોતું, પણ પેસરો સામે રમવું મુશ્કેલ હતું” – SRHની હાર બાદ પેટ કમિન્સનો સ્વીકાર
IPL 2025ની ટક્કરમાં ગુજરાત ટાઇટન્સ સામે મળેલી સાત વિકેટની હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે ટીમના 152 રનના ટાર્ગેટને બચાવવું મુશ્કેલ બન્યું, ખાસ કરીને GTના પેસર્સ સામે બેટિંગ કરવી પડકારજનક હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં SRH પ્રથમ બેટિંગ કરતી 20 ઓવરમાં 152/8 પર અટકી ગઈ. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે 17 રનમાં 4 વિકેટ ઝડપી ને કારકિર્દીનો શ્રેષ્ઠ IPL સ્પેલ કર્યો. જયારે પ્રસિદ્ધ કૃષ્ણ અને રાશિદ ખાને પણ 2-2 વિકેટ ઝડપીને SRHની ઈનિંગ પર બ્રેક લગાવી દીધો. SRH તરફથી નીતિશ રેડ્ડીએ 31 રન અને પેટ કમિન્સે 9 બોલમાં અણનમ 22 રન (3 ચોગ્ગા, 1 છગ્ગો) બનાવતાં સ્કોરને 150 પાર પહોંચાડ્યો.હાર બાદ કમિન્સે કહ્યું, “હૈદરાબાદની વિકેટ હંમેશા કંઈક પડકારજનક હોય છે. થોડી…







