પાન મસાલા કંપનીઓ માટે સરકારનો મોટો નિર્ણય: હવે દરેક પેકેટ પર RSP સહિત તમામ માહિતી ફરજિયાત
ભારત સરકારે પાન મસાલા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કરીને પાન મસાલાના તમામ પ્રકારના પેકેટો પર છૂટક વેચાણ કિંમત (RSP) અને અન્ય ફરજિયાત વિગતો છાપવી હવે અનિવાર્ય કરી છે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં અમલમાં આવશે. આ તારીખથી તમામ નિર્માતા, પેકર્સ અને આયાતકારોને તેનો કડક પાલન કરવું પડશે. નાના પેકેટો માટે જૂની છૂટ રદ સુધારા પહેલાં: – 10 ગ્રામ અથવા તેનાથી ઓછા વજનના પેકેટો – અમુક ફરજિયાત ઘોષણાઓમાંથી મુક્ત હતા – હવે સરકારએ આ છૂટ રદ કરી છે. નવી વ્યવસ્થા પ્રમાણે: – 10 ગ્રામથી ઓછા પેકેટમાં પણ – RSP – નેટ વજન – નિર્માતા/આયાતકાર વિગતો – ઉત્પાદન તારીખ વગેરે – બધું…







