જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલામાં 4 ઘાયલ, સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ શહેરમાં મંગળવાર, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ એક પર્યટન સ્થળ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 4 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામના બૈસરન ખીણના ઉપરના ભાગમાં થયો હતો, જ્યાં આતંકવાદનો ખતરો સામાન્ય રીતે ઓછો હોય છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પ્રવાસીઓ રાજસ્થાનના હતા:- પોલીસના જણાવ્યા અનુસાર, આ ગોળીબાર રાજસ્થાનથી આવેલા પ્રવાસીઓ પર કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓના ઘાયલ થવાના સમાચાર મળતા જ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. પહેલગામ જમ્મુ અને કાશ્મીરના એવા વિસ્તારોમાંનો એક છે જ્યાં સામાન્ય રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ ઓછી હોય છે, પરંતુ હવે આતંકવાદીઓએ આ શાંતિપૂર્ણ વિસ્તારને પણ નિશાન બનાવ્યો છે.   આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ…