ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું જૈશનું બહાવલપુર ઠેકાણું ફરી તૈયાર, પાકિસ્તાનથી ફંડિંગ મળ્યાનો દાવો
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન નિશાન બનાવવામાં આવેલું પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય ઠેકાણું ફરી એકવાર તૈયાર થઈ ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરની તસવીરો અને વીડિયોના આધારે અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મરકઝ સુભાન અલ્લાહ સંકુલમાં મોટા પાયે પુનઃનિર્માણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે આતંકવાદી સંગઠનોના માળખા સામેની કાર્યવાહી અને પાકિસ્તાનમાં તેમની પ્રવૃત્તિઓ અંગે ફરી સવાલો ઊભા થયા છે. મળતી માહિતી અનુસાર, ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાન બાદ મરકઝના મુખ્ય હોલ, ગુંબજો અને આસપાસના વિસ્તારોમાં સમારકામ કરવામાં આવ્યું છે. તાજેતરના વિઝ્યુઅલ્સમાં ગુંબજો ફરી બનાવવામાં આવ્યા હોવાનું તેમજ મુખ્ય ઈમારતમાં પ્લાસ્ટર, રંગકામ અને માર્બલનું કામ પૂર્ણ થયેલું જોવા મળે છે. ABP Newsના અહેવાલ અનુસાર મુખ્ય હોલના પુનઃનિર્માણ…
રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રજોગ સંબોધન: ઓપરેશન સિંદૂરથી સિંધુ જળ સંધિ સુધી અનેક મુદ્દાનો ઉલ્લેખ
80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશને સંબોધન કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિના સંબોધનમાં ભારતની વિકાસયાત્રા, રાષ્ટ્રીય એકતા, સુરક્ષા, આતંકવાદ સામેની લડત, સશસ્ત્ર દળોની ક્ષમતા અને વિકસિત ભારતના સંકલ્પ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ સચિવાલય અને કેન્દ્ર સરકારના સત્તાવાર દસ્તાવેજોમાં પણ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાના આ સંબોધનની પુષ્ટિ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોને યાદ કરતાં જણાવ્યું કે ભારતની આઝાદી માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ દેશના નાગરિકોના સતત પ્રયાસો અને જવાબદારી સાથે જોડાયેલી યાત્રા છે. તેમણે ભારતને વધુ વિકસિત, આત્મનિર્ભર અને મજબૂત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતની એકતા અને અખંડિતતાના સંદર્ભમાં…
‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન હજુ પણ ફફડેલું, LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનમાં હજુ પણ ભયનો માહોલ છે. પાકિસ્તાને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આધુનિક એન્ટી-ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. રિપોર્ટ્સ મુજબ, રાવલકોટ, કોટલી અને ભિમ્બર સેક્ટરમાં નવી કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ (C-UAS) લગાવવામાં આવી છે. પાકિસ્તાની સેનાને આશંકા છે કે ભારત ફરી કોઈ ચોક્કસ અને ઝડપી કાર્યવાહી કરી શકે છે. આ કારણે LoC પર 30થી વધુ ખાસ એન્ટી-ડ્રોન યુનિટ્સ તૈનાત કરવામાં આવી છે. આ તૈનાતી મુર્રી સ્થિત 12મી અને 23મી ઇન્ફન્ટ્રી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે, જે કોટલી-ભિમ્બર ક્ષેત્રની બ્રિગેડ્સનું સંચાલન કરે છે. કઈ એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી? – સ્પાઈડર કાઉન્ટર-UAS સિસ્ટમ: આ સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા ડ્રોનને ઓળખે છે અને લગભગ 10 કિલોમીટર સુધી નાના ડ્રોન…
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી
વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારને તત્પર રહેવું જોઈએ અને જરૂર પડે તો ઓપરેશન સિંદૂર જેવી કડક કાર્યવાહી કરવી જોઈએ. તેઓએ ચેતવણી આપી કે બાંગ્લાદેશ મુદ્દે સરકાર ચુપ રહેવું યોગ્ય નથી અને હિન્દુ સમુદાયને રક્ષણ આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. સ્વામી સદાનંદ સરસ્વતીના મતે, “બાબરી મસ્જિદનાં નામે દેશમાં ષડયંત્ર ચાલી રહ્યું છે” અને પશ્ચિમ બંગાળમાં બનાવાતી બાબરી મસ્જિદ સામે હિન્દુ સમુદાયને એકતામાં રહેવું જરૂરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઓપરેશન સિંદૂરના વીર જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ એનાયત, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સંરક્ષણ અભિયાનોમાં બહાદુરીના કાર્યો માટે 127 સૈનિકોને ગેલેન્ટ્રી એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેનાના અને વાયુસેનાના અનેક જવાનોને વીર ચક્ર, શૌર્ય ચક્ર, વાયુ સેના મેડલ જેવી પ્રતિષ્ઠિત માન્યતાઓથી સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માનિત જવાનોની સફળતા કથાઓ: – કર્નલ કોશાંક લાંબા (302 મિડિયમ રેજિમેન્ટ): અસાધારણ નેતૃત્વ અને ત્વરિત હવાઈ ઓપરેશન માટે વીર ચક્રથી સન્માનિત. દુશ્મન વિસ્તારમાં મોટી ગુપ્તતા સાથે યુનિટની તૈનાતી સફળતાપૂર્વક સંચાલિત કરી. – લેફ્ટનન્ટ કર્નલ સુશીલ બિષ્ટ (1988 ઇન્ડિપેન્ડન્ટ મિડિયમ બેટરી): શત્રુ છાવણીઓનો ખત્મ કરતા બતાવેલી અદમ્ય હિંમત માટે વીર ચક્ર એનાયત. – ગ્રુપ કેપ્ટન રણજીત સિંહ સિદ્ધુ (ફ્લાઈંગ પાયલોટ): ફાઈટર જેટથી શત્રુના મહત્વના લક્ષ્યો પર સચોટ હુમલો કરી પોતાના દળ…
શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હવે કોઈ વાતચીત ફક્ત પીઓકે (પાક અધિકૃત કાશ્મીર) અને આતંકવાદના મુદ્દા પર જ થશે. ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં શાહબાઝની અપીલ આ ટિપ્પણી શાહબાઝે “થેંક્સગિવિંગ ડે (યમ-એ-તશકુર)” નિમિત્તે આપી હતી. આ દિવસ ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. શાહબાઝે કહ્યું, “ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધો લડી ચૂક્યા છે, છતાં કંઈ હાંસલ થયું નથી.” તેમણે જણાવ્યું કે હવે બંને દેશોએ શાંતિના માર્ગે આગળ વધવું જોઈએ અને ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. કાશ્મીર મુદ્દો…
અફઘાનિસ્તાને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું – “ભારતીય મિસાઇલો અમને કોઈ નુકસાન પહોંચાડતી નથી”
પાકિસ્તાનના ભારત વિરોધી દાવાઓ એક પછી એક પથ્થર પર પડતા જોવા મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો હવે ધૂળખાતાં જાય છે. તાજું ઉદાહરણ છે અફઘાનિસ્તાનનો પકડાયો પર્દાફાશ. અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે “ભારતીય મિસાઇલોથી અફઘાનિસ્તાનને કોઈ નુકસાન થયું નથી”. આ નિવેદન તેમણે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન આપ્યું. મુત્તાકીએ પાકિસ્તાની દાવાઓને “ખોટા અને પાયાવિહોણા” ગણાવતાં સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન ભારત સાથે સહકારમાં છે અને તથ્યોના આધાર વગરના આરોપો પર વિશ્વાસ નથી કરતી. તેમની સાથેની વાતચીતમાં તાલિબાન તરફથી પણ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે મુત્તાકીના આ નિવેદનનું સ્વાગત…
















