કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

FASTag બ્લોક થઈ ગયો? જાણો કેવી રીતે તરત સમાધાન કરવું

જેઓ વારંવાર એક્સપ્રેસવે અથવા હાઇવે પર મુસાફરી કરે છે, તેમના માટે FASTag બ્લોક થવું એક ચિંતાજનક સ્થિતિ બની શકે છે. ટોલ ગેટ પર FASTag કામ ન કરવાથી ટોલ પૈસા ડબલ ચૂકવવા પડે છે. પરંતુ આ સમસ્યા સરળ રીતે ઉકેલી શકાય છે. FASTag બ્લોક છે કે કેમ, તે કેવી રીતે તપાસવું? ટોલ પર જ્યારે સ્કેનર “બ્લેકલિસ્ટેડ” બતાવે, ગેટ ખુલતું નથી. તમારી બેંક અથવા NHAI તમારા નંબર પર મેસેજ મોકલે છે, જેમમાં લખેલું હોય: “તમારું FASTag બ્લેકલિસ્ટ થયું છે કારણ કે…” FASTagની સ્થિતિ બેંક એપ (HDFC, ICICI, SBI, Paytm) અથવા My FASTag App પર ચેક કરી શકો છો. ટેગ બાજુમાં લાલ રંગમાં “બ્લેકલિસ્ટ” લખેલું હોય તો તે નિષ્ક્રિય છે. FASTag બ્લેકલિસ્ટ થવાના મુખ્ય 3 કારણો: – ઓછું બેલેન્સ:…

ટોલ ન ચુકવવાથી NOC, પરમિટ અને વાહન સેવાઓ રોકાશે: કેન્દ્ર સરકારનો કડક નિયમ

કેન્દ્ર સરકારએ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચુકવણીને વધુ કડક બનાવવા માટે નવો નિયમ જાહેર કર્યો છે. મંગળવારે સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) રુલ્સ, 2026 નોટિફાઇ કરવામાં આવ્યા, જેમાં 1989ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. મુખ્ય ઉદ્દેશ્ય છે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન મજબૂત બનાવવું, ટોલ ચોરી અટકાવવી અને બેરિયર-લેસ ટોલિંગને સરળતાથી અમલમાં લાવવી. “અનપેઇડ યુઝર ફી” શું છે? નવા નિયમો હેઠળ, અનપેઇડ યુઝર ફી એ તે ટોલ છે જે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા નોંધવામાં આવે છે, પરંતુ ફાસ્ટેગ અથવા અન્ય ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવવામાં ન આવે. ટોલ બાકી રહે ત્યારે કઈ સેવાઓ રોકાઈ શકે છે? – નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) – બાકી ટોલ હોય તો NOC મળશે નહીં. – નેશનલ પરમિટ – કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ…

1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર: હવે કેશ નહીં, ફક્ત ડિજિટલ ચુકવણી ફરજિયાત

જો તમે કાર, બાઈક અથવા અન્ય કોઈ ખાનગી વાહન દ્વારા રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝાની વ્યવસ્થામાં મોટો બદલાવ લાવવામાં આવી રહ્યો છે. 1 એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે ટોલ ટેક્સ ચૂકવવા માટે માત્ર FASTag અથવા UPI જેવી ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો પડશે. એટલે કે જે વાહનચાલકો પાસે FASTag નહીં હોય અથવા UPI દ્વારા ચુકવણી કરવા સક્ષમ નહીં હોય, તેમને ટોલ પ્લાઝા પાર કરવામાં મુશ્કેલી પડી શકે છે. હવે ડિજિટલ ચુકવણી જ માન્ય અત્યાર સુધી ઘણા ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી માટે અલગ લેન રાખવામાં આવતી હતી,…

NHAI અને Jio વચ્ચે 4G/5G સેફ્ટી એલર્ટ સિસ્ટમ માટે કરવામાં આવશે કરાર, મોબાઇલ જ બનશે ‘લાઇફગાર્ડ’

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર માર્ગ સલામતીએ હવે એક નવો ટેકનોલોજીકલ મોરચો સર કર્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ રિલાયન્સ Jio સાથે Memorandum of Understanding (MoU) પર હસ્તાક્ષર કરી મોબાઇલ આધારિત 4G/5G હાઇવે સેફ્ટી એલર્ટ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી છે. આ પહેલથી દેશનાં 500 મિલિયનથી વધુ Jio વપરાશકર્તાઓને કોઈપણ વધારાના હાર્ડવેર વિના રિયલ-ટાઈમ સલામતી ચેતવણીઓ મળી શકશે. કઈ રીતે કામ કરશે આ મોબાઇલ-આધારિત સેફ્ટી સિસ્ટમ? આ સંપૂર્ણપણે સ્વચાલિત સિસ્ટમ હેઠળ વપરાશકર્તાને તેના ચોક્કસ લોકેશનના આધારે નીચે મુજબની ચેતવણીઓ મળશે: – અકસ્માત-સંભવિત ઝોન – ધુમ્મસવાળા વિસ્તાર – રખડતા પ્રાણીઓનો ખતરો અચાનક ડાયવર્ઝન અથવા રોડ બ્લોક ચેતવણીઓ SMS, WhatsApp, અને high-priority calls દ્વારા મોકલવામાં આવશે જેથી ડ્રાઇવરોને તરત જ આગાહિ મળી રહે અને અકસ્માતોનો જોખમ…

ગુજરાત આવેલ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની મોટી જાહેરાત, હાઇવે માટે કેન્દ્ર સરકાર આપશે 20,000 કરોડ

કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે. નિતીન ગડકરીએ કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે. 20 હજાર કરોડની મળશે કેન્દ્રમાંથી સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ…