Nepalમાં પૂરનો હાહાકાર: મૃત્યુઆંક 472 એ પહોંચ્યો, 170થી વધુ ભારતીયો ગુમ

કાઠમંડુ : Nepal અને તિબેટની સરહદે આવેલા વિસ્તારોમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ સમગ્ર વિસ્તારમાં તબાહીનો માહોલ છે. પૂર, ભૂસ્ખલન અને કાટમાળના કારણે અનેક ગામો, રસ્તાઓ, પુલો અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. તાજા અહેવાલો અનુસાર Nepal અને તિબેટને મળીને મૃત્યુઆંક ઓછામાં ઓછો 472 સુધી પહોંચી ગયો છે, જ્યારે 1,400થી વધુ લોકો હજુ લાપતા છે. આ લાપતા લોકોમાં અનેક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ભારતીય નાગરિકોને લઈને પણ ચિંતા વધી છે. નેપાળ ટૂરિઝમ બોર્ડના આંકડા મુજબ 178 ભારતીય નાગરિકો ગુમ હોવાનું નોંધાયું છે, જ્યારે 11 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જોકે, અલગ-અલગ એજન્સીઓના આંકડાઓમાં તફાવત જોવા મળી રહ્યો છે અને બચાવ કામગીરી આગળ વધતાં આ સંખ્યા બદલાઈ શકે છે. Nepalમાં કુદરતી…