રોહિત શર્માની જેમ રવીન્દ્ર જાડેજાના નામનું પણ સ્ટેન્ડ બનાવો….. નયનાબા જાડેજાએ કરી માંગ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેને લઈને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારે ‘જડડુ’ તરીકે જાણીતા ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના નામનું રાજકોટનાં નિરંજન શાહ અથવા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનાવવા તેમના મોટા બહેન નયનાબા જાડેજાએ માંગ કરી છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવા રવીન્દ્ર જાડેજાના બહેન મેદાને આવ્યા છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ કે અમદાવાદના સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ છે અને દુનિયાના સૌથી…







