NAVRATRI 2025 ; નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો આરતી અને મંત્ર વિષે

નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની શક્તિ, શાંતિ અને આરોગ્યની ઉપાસના માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.   માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું માથા પર અર્ધચંદ્ર જેવી ઘંટી હોય છે તેથી તેમનું નામ “ચંદ્રઘંટા” પડ્યું છે. તેમનું સ્વરૂપ શાંતિદાયી છે પણ દુષ્ટો માટે રૌદ્રરૂપ ધારણ કરે છે. માતાજી દસ હાથ ધરાવે છે અને સિંહ પર આરૂઢ છે.   પૂજા વિધી નવરાત્રીના ત્રીજા દિવસે શ્રદ્ધાથી માતા ચંદ્રઘંટાની પૂજા કરવી. ધુપ, દીવો, ફૂલો અને દૂધથી બનેલા પ્રસાદ સાથે માતાને ભોજન ધરાવવું.   માતા ચંદ્રઘંટાના મનપસંદ પ્રસાદ: કેસર પેંડા સામગ્રી: – 4 કપ ખોયા –…