ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી
પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…
Ahmedabad: અમિત શાહ કરશે બે મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 7 માર્ચે સાંજે અમદાવાદ આવી પહોંચશે, અને 9 માર્ચે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની વર્તમાન ટર્મ પૂર્ણ થવાની છે. આ ટર્મ પૂરી થતી પહેલાં, 8 માર્ચે અમિત શાહ આગળના બે મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે, જે પૂર્વ અમદાવાદ માટે ખૂબ મહત્વના છે. પૂર્વ અમદાવાદ માટે આધુનિક સુવિધાઓ આ પ્રવાસ દરમિયાન, અમિત શાહ રૂ.61.67 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. આ કોમ્પ્લેક્સમાં રમતગમતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે યુવાનો અને ખેલાડીઓ માટે પ્રેરણાદાયી હશે. આ સિવાય, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના પ્રથમ તબક્કાનું લોકાર્પણ પણ કરવામાં આવશે. નરોડાથી વિંઝોલ સુધીના 12 કિલોમીટર લાંબા રૂટ પર ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેથી સ્થાનિક રહીશોને મોટા લાભ મળશે. ટર્મ પૂર્ણ…
રાજકોટ મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ, એન્જિનિયરિંગ એસોસિએશન હડતાળ પર
રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. વોર્ડ નં. 18માં પેવિંગ બ્લોકના કામ દરમિયાન એક પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો, જેના પગલે મનપાના ઇજનેરોમાં રોષ ફેલાયો છે. મામલામાં જણાવાયું છે કે, રાજકોટ મનપાના ઇસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ગોલાણીયાને પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ બોલચાલી બાદ લાફો માર્યો હતો. પેવિંગ બ્લોકના કામ અંગે કોન્ટ્રાક્ટરને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ‘વાયબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારીઓ તેની સાથે મળવા ગયા નહોતા. આ વાતને લઈને કોન્ટ્રાક્ટરે ગુસ્સો કર્યો અને હુમલો કરી દીધો. હડતાળની જાહેરાત ધવલભાઈ પર થયેલા આ હુમલાના વિરોધમાં RMC એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી કામકાજ ઠપ્પ કરવામાં આવ્યું છે…
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી સ્તરે ગરમાવો સર્જ્યો છે. કોંગ્રેસ દ્વારા ટાઈફોઈડના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીતી પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાળકનું મોત ટાઈફોઈડથી થયું નથી. આ મુદ્દે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક તત્વ નથી: કમિશનર કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી.…
ગુજરાત : રાજ્યની મહાનગર અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની સહાય
અમદાવાદ ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. 2800 કરોડની નાણાંકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કર્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે શહેરી વિકાસના બજેટમાં 40 ટકાનો વધારો કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાને રૂ. 780 કરોડ, સુરતને રૂ. 657 કરોડ, વડોદરાને રૂ. 235 કરોડ અને રાજકોટને રૂ. 195 કરોડની સહાય ફાળવવામાં આવી છે. સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ…
રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની રોટેશન યાદી અને અનામત વર્ગવાર બેઠક ફાળવણી યાદી પણ જાહેર કરી છે. કયા શહેરોમાં ફાળવણી થઈ? રાજ્ય ચૂંટણી આયોગે નીચેની 6 મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરી છે: – અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ – ભાવનગર – જામનગર તે ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા માટે પણ અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિગતવાર ફાળવણી અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. આ 192 બેઠકોમાંથી: – 133 બેઠકો અલગ-અલગ અનામત વર્ગોને ફાળવાઈ છે – 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી…














