ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…
મહિલા સશક્તિકરણ: ગામડાઓમાં ‘સરપંચ પતિ’ પ્રથા હટાવવા અનોખો પુરસ્કાર!
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં મહિલાઓ માટે 50% અનામત લાગુ થયાને લગભગ એક દાયકા પછી પણ “સરપંચ પતિ”નો શબ્દ ગામડાઓમાં ગુંજે છે. ઘણા ગામોમાં મહિલા સરપંચ માત્ર કાગળ પરની અધ્યક્ષા બને છે, જ્યારે વાસ્તવિક વહીવટ તેમના પતિ કે અન્ય પુરુષ સગા-સંબંધીઓ કરે છે. આ પ્રથાને પડકારવા અને સાચી મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા જુનાગઢ જિલ્લા પંચાયતે અનોખી પહેલ કરી છે. જિલ્લા પંચાયતે 2026-27ના બજેટમાં વિશેષ જોગવાઈ કરીને એવી મહિલા સરપંચોને સન્માનિત કરવાનું નક્કી કર્યું છે જેઓ સ્વતંત્ર રીતે ગામનું નેતૃત્વ કરે છે. જિલ્લાના નવ તાલુકાઓમાંથી એક-એક મહિલા સરપંચની પસંદગી કરીને દરેકને રૂ. 50,000નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સન્માન સાર્વજનિક કાર્યક્રમમાં આપવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના જણાવ્યા અનુસાર, “અમે જોયું છે…
BMC 2026: મહાયુતિ ગઠબંધનો ભવ્ય વિજય, 118 બેઠકો જીતી બહુમતી પાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 227 બેઠકોમાંથી ગઠબંધે 118 બેઠકો જીતીને બહુમતી પાર કરી, અને શહેરની આગેવાની મેળવવા માટે જરૂરી 114 બેઠકો કરતાં વધુ સીટો મેળવી. બેઠકોનું વિભાજન: ભાજપ: 89 બેઠકો શિવસેના (એકનાથ શિન્દે ગ્રુપ): 29 બેઠકો શિવસેના (ઉદ્ધવ ભાઈ UBT) + MNS: 69 બેઠકો મહારાષ્ટ્રની બીજી મહાનગરપાલિકાઓમાં પણ મહાયુતિને સારા પરિણામો મળ્યા છે, જેમાં પુણે, નાગપુર અને નાશિકનો સમાવેશ થાય છે. BMC ની આ જીત રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ શહેરને રાજકીય દિશા માટે મોટા પાયે પ્રભાવશાળી ગણવામાં આવે છે. 2026ની મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “લોકોએ અમને આગામી પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. તેમનો વિશ્વાસ…
ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો વહીવટી નિર્ણય, 39 મામલતદારોની સામૂહિક બદલી
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે આજે એક મહત્વપૂર્ણ વહીવટી પગલું ભરતાં 39 મામલતદારોની સામૂહિક બદલી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહેસૂલ વ્યવસ્થા વધુ દ્રઢ બને, કાર્યક્ષમતા વધે અને નાગરિક સેવાઓની ગુણવત્તામાં વધારો થાય તે હેતુથી આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. વધતા કેસ અને વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ફેરફારો સરકારી સૂત્રો મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાંક જિલ્લાઓમાં: – જમીન સંબંધિત કેસોની વધતી સંખ્યા – વિકાસ પ્રોજેક્ટ્સની ગતિ – લોકઅરજીઓમાં વધારો ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે અનુભવી મામલતદારોને વ્યસ્ત તાલુકાઓમાં નિમણૂંક કરી છે. બીજી તરફ, અમુક અધિકારીઓને શાંત અને ઓછી વહીવટી દબાણ ધરાવતા તાલુકાઓમાં બદલી કરવામાં આવી છે. વહીવટી કાર્યક્ષમતામાં સુધારો લાવવા પ્રયાસ મામલતદાર એક તાલુકામાં અનેક મહત્વપૂર્ણ ફરજો બજાવે છે જેમ કે: – જમીન માપણી અને સર્વે –…
આજે 24 April : દેશમાં ઉજવાઈ રહ્યો છે “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ”
દર વર્ષે 24 એપ્રિલના દિવસે ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (National Panchayati Raj Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના લોકશાહી સિસ્ટમના એક મહત્વપૂર્ણ અંગ પંચાયતી રાજ સંસ્થાઓના રોલ અને યોગદાનને માન્યતા આપતો અને ઉજવતો દિવસ છે. ઇતિહાસ અને શરૂઆત: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની શરૂઆત વર્ષ 2010માં કરવામાં આવી હતી જ્યારે તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ તારીખની પસંદગી એ કારણે કરવામાં આવી કારણ કે 73મા બંધારણ સંશોધન અધિનિયમ અંતર્ગત પંચાયતોને બંધારણીય માન્યતા આપવાનો અમલ 24 એપ્રિલ, 1993થી થયો હતો. પંચાયતી રાજના પાયાવિહોણા: 1957માં રચાયેલી બળવંતરાય મહેતા સમિતિ દ્વારા ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ની ભલામણો આપ્યા પછી ભારતે તબક્કાવાર રીતે ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અપનાવી હતી: – ગ્રામ પંચાયત (ગામ…












