ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારત-જાપાનની મહત્વપૂર્ણ બેઠક, ડિફેન્સ ટેક્નોલોજી પર થશે ચર્ચા

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી દરિયાઈ અને સૈન્ય ગતિવિધિઓ વચ્ચે ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. જાપાનના રક્ષામંત્રી શિંજિરો કોઈઝુમી ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવ્યા છે. તેઓ 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને દેશોના રક્ષામંત્રીઓ વચ્ચે યોજાનારી આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ સાધનો, ડિફેન્સ ટેક્નોલોજી અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ભારત અને જાપાન બંને હિંદ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત, ખુલ્લો, સુરક્ષિત અને સ્થિર રાખવા માટે સહયોગ વધારવા પર ભાર આપી રહ્યા છે. ચીનની ગતિવિધિઓ વચ્ચે બેઠકનું મહત્વ વધ્યું હિંદ-પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી સૈન્ય અને દરિયાઈ હાજરીને કારણે ભારત, જાપાન, અમેરિકા અને અન્ય સહયોગી દેશો વચ્ચે સુરક્ષા…

આતંકી હુમલા મામલે ભારતને મળ્યો જાપાનનો સાથ! બંને દેશના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં જાણો શું થયું

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને જાપાની સંરક્ષણ પ્રધાન નાકાતાની વચ્ચે એક મહત્વની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સોમવારે ભારત અને જાપાનના સંરક્ષણ પ્રધાનો વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધતી લશ્કરી ગતિવિધિઓ અંગે એક બેઠક યોજાઈ હતી. બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિ અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વધારવા અંગે ચર્ચા કરી. છેલ્લા 6 મહિનામાં બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની આ બીજી બેઠક છે. It was a delight to meet Japan’s Defence Minister Gen Nakatani…