ગુજરાત ભાજપમાં ધરખમ ફેરફાર: નવી કારોબારી યાદી જાહેર, 79 સભ્યોને સ્થાન

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવી પ્રદેશ કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. નવા કાફલામાં કુલ 79 સભ્યોનો સમાવેશ છે, સાથે 26 આમંત્રિત સભ્યોને પણ સ્થાન મળ્યું છે. યાદીમાં રાજકીય મજબૂતી અને અનુભવી નેતાઓનો સમાવેશ નવાં સભ્યોમાં ખાસ કરીને રાજકોટથી ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા અને રાજુ ધ્રુવને સ્થાન આપવામાં આવ્યું છે. આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ જિલ્લા પ્રમુખોનો સમાવેશ છે. જુના જોગીઓ અને કોંગ્રેસથી જોડાયેલા નેતાઓ સુરતથી દર્શનાબેન જરદોશ, પંચમહાલથી નિમિષાબેન સુથાર, અમદાવાદથી યોગેશ ગઢવી સહિતના નેતાઓને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ વજુભાઈ વાળા, પુરષોત્તમ રૂપાલા, આરસી ફળદુ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ, ગોરધન જોડફિયા, પ્રદિપસિંહ જાડેજા, આઈ કે જાડેજા, દિલિપ સાંઘાણી, નરહરી અમિન, ગોવિંદભાઈ પટેલ, વલ્લભ કાકડિયા, સાગર રાયકા સહિતના અનુભવી નેતાઓને પણ સ્થાન મળ્યું છે. યાદીમાં જૂના જોગીઓ અને કેટલાક કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ સમાવિષ્ટ કરવું પ્રદેશ સંગઠનની મજબૂતી અને વિવિધતા માટે મહત્વપૂર્ણ કહેવાય છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગુજરાત ભાજપ સંગઠનની જાહેર કરાયેલ નવી ટીમની આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂંક બાદ ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શનિવારે મોડી રાતે જાહેર કરાયેલી આ ટીમમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ મહત્વના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમની જાહેરાત બાદ આવતીકાલે સવારે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના પ્રદેશ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનને વધુ મજબૂત બનાવવાની રણનીતિ તેમજ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભાજપ પ્રદેશ સંગઠનના નવા હોદ્દેદારોની યાદી ભાજપ પ્રદેશ સંગઠનમાં ચાર મહામંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં – અનિરૂદ્ધ દવે (કચ્છ) – ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ) – અજય બ્રહ્મભટ્ટ (ખેડા) – હિતેન્દ્ર ચૌહાણ (સુરેન્દ્રનગર) મુખ્ય પ્રવક્તા તરીકે ડો. અનિલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે મીડિયા ઈન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. પરિન્દુ ભગતને કોષાધ્યક્ષ અને મોહન કુંડારિયાને સહ-કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી તેમજ અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠન ટીમ સાથે ભાજપ આગામી સમયમાં સંગઠનાત્મક મજબૂતી અને ચૂંટણીલક્ષી તૈયારી પર વિશેષ ભાર મુકશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કોંગ્રેસ સ્થાપના દિવસ : 140 વર્ષમાં બન્યા અનેક દિગ્ગ્જ પ્રમુખો, ઉતાર-ચઢાવથી ભરેલી રાજકીય સફર

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુરુવારે તેનો ૧૩૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પાર્ટી દ્વારા નાગપુરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને “હૈં તૈયાર હમ” નામની મેગા રેલી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે. કોંગ્રેસની સ્થાપના કેવી રીતે થઈ? 28 ડિસેમ્બર, 1885ના રોજ, બ્રિટિશ શાસન દરમિયાન, થિયોસોફિકલ સોસાયટીના અગ્રણી સભ્ય એ.ઓ. હ્યુમની પહેલ પર બોમ્બે (હાલ મુંબઈ) ખાતે ગોકુલદાસ સંસ્કૃત કોલેજના મેદાનમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 72 પ્રતિનિધિઓ ભેગા થયા. આ બેઠકમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામની રાજકીય સંસ્થાની સ્થાપના થઈ. કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે વ્યોમેશચંદ્ર બેનર્જીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે એ.ઓ. હ્યુમ સ્થાપક મહાસચિવ રહ્યા. 138 વર્ષમાં 57 પ્રમુખો કોંગ્રેસના ઇતિહાસમાં અત્યાર સુધી 57 નેતાઓએ પ્રમુખ તરીકે પાર્ટીની કમાન સંભાળી છે. તેમાં સૌથી લાંબો સમય નેહરુ–ગાંધી પરિવારએ પાર્ટીનું નેતૃત્વ કર્યું છે. આ પરિવારનો કુલ પ્રભાવ લગભગ 45 વર્ષ સુધી રહ્યો. નેહરુ–ગાંધી પરિવારનો ઉદય 1919: મોતીલાલ નેહરુ કોંગ્રેસ પ્રમુખ બન્યા 1929, 1936–37, 1951–54: જવાહરલાલ નેહરુ અનેક વખત પ્રમુખ રહ્યા 1959, 1978–83: ઇન્દિરા ગાંધી પ્રમુખ 1985–91: રાજીવ ગાંધી 1998–2017: સોનિયા ગાંધી (૧૯ વર્ષ) 2017–2019: રાહુલ ગાંધી 2019–2022: સોનિયા ગાંધી (વચગાળાના પ્રમુખ) ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ લાંબા સમય બાદ, કોંગ્રેસે ગાંધી પરિવાર બહારના નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો. 26 ઑક્ટોબર 2022ના રોજ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. કોંગ્રેસમાંથી અલગ થઈ બનેલા 64 પક્ષ કોંગ્રેસનો ઇતિહાસ માત્ર સત્તાનો નહીં, પરંતુ વિભાજનનો પણ રહ્યો છે. સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં 64 વખત કોંગ્રેસ છોડીને નવા રાજકીય પક્ષો રચાયા છે. આઝાદી પહેલાંના વિભાજન 1923: ચિત્તરંજન દાસે સ્વરાજ પાર્ટી રચી 1939: સુભાષચંદ્ર બોઝે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક સ્થાપ્યો આઝાદી પછી મોટા વિભાજન 1969: ઇન્દિરા ગાંધી પાર્ટીમાંથી બહાર થયા, કોંગ્રેસ (R) રચી 1978: કોંગ્રેસ (I)ની રચના 1998: મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ બનાવી 1999: શરદ પવાર, સંગમા અને અનવરે NCP રચી 2016: અજિત જોગી – છત્તીસગઢ જનતા કોંગ્રેસ 2021: અમરિંદર સિંહ – પંજાબ લોક કોંગ્રેસ આ સિવાય YSR કોંગ્રેસ, હરિયાણા જનહિત કોંગ્રેસ, લોકતાંત્રિક કોંગ્રેસ સહિત અનેક પક્ષો કોંગ્રેસમાંથી જન્મ્યા. ઉતાર-ચઢાવ છતાં અસ્તિત્વ અડગ સત્તા, વિભાજન, હાર-જીત અને આંતરિક કલહ છતાં કોંગ્રેસ આજે પણ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે અસ્તિત્વમાં છે. પાર્ટીનો 140મો સ્થાપના દિવસ તેના લાંબા, સંઘર્ષસભર અને ઐતિહાસિક રાજકીય સફરની સાક્ષી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત: મહામંત્રી-અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી નિમણૂક મુજબ મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અગત્યની નવી નિમણૂકો: મહામંત્રી: કચ્છ – અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ – ડો. પ્રશાંત કોરાટ, ખેડા – અજય બ્રહ્મભટ્ટ કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત ઉપપ્રમુખ: અમદાવાદ – ભરત પંડ્યા કાર્યાલય મંત્રી: શ્રીનાથભાઈ શાહ મુખ્‍ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ મીડિયા ઇન્ચાર્જ: ડો. પ્રશાંત વાળા   પાર્ટી સૂત્રો અનુસાર, આ નિમણૂકો આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા સૂચના આપવામાં આવી છે, જેથી ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ કરી શકે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

Surat : BJP ના બે કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પક્ષે બંનેને ફટકારી નોટીસ

ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિ બાદ સુરત શહેરના પાર્ટી કાર્યાલયમાં ઘમાસાન સર્જાયું છે. ભાજપના બે સક્રિય કાર્યકરો દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે કાર્યાલયના અંદર છૂટા હાથની મારામારી થઈ ગઈ, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિવાદની શરૂઆત ચા-નાસ્તાની બાબતે થઈ પ્રાપ્ત માહિતી અનુસાર, દિનેશ સાવલિયાની પટાવાળાના સાથે થયેલી સામાન્ય બોલચાલમાંથી વિવાદ શરુ થયો હતો. જેમા શૈલેષ જરીવાલા, જે ભાજપ કાર્યાલયના ખજાનચી છે, વચ્ચે પડ્યા બાદ મામૂલી બોલાચાલી શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. શૈલેષે દિનેશને સમજાવતાં કહ્યું હતું કે: “હું ખજાનચી છું, મારે બધું જોવાનું છે,” જે પરિસ્થિતિને વધુ બગાડી ગઈ. બંને વચ્ચે ઘર્ષણ વધતાં લાફા અને ધક્કામુકી સુધીનો મામલો પહોંચી ગયો. ભાજપનો તરત જવાબ: બંનેને નોટિસ વીડિયો વાયરલ થતાં શહેર પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે, “બન્ને કાર્યકરોને પાર્ટીશિસ્તના ભંગ બદલ તાત્કાલિક નોટિસ અપાઈ છે. ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવો પડશે. તપાસ પછી યોગ્ય પગલાં લેવાશે.” ભાજપના આંતરિક સૂત્રો અનુસાર, દિનેશ સાવલિયાને લઈને અગાઉથી પણ કાર્યાલયમાં અનેક ફરિયાદો મળી ચુકી છે. ઘટનાએ પ્રદેશ પ્રમુખની નવી નિયુક્તિ પછી પક્ષમાં ઉથલપાથલ ઉમેરી આ બનાવ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની તાજી નિયુક્તિ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, પાર્ટી કાર્યાલયમાં જ આમ છૂટા હાથની મારામારી થવી, પાર્ટીની શિસ્ત અને એકતા પર પ્રશ્નચિન્હ ઉભું કરે છે.