ઈરાને દેશવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું મોટું પરીક્ષણ કર્યું, વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે તૈયારીમાં તેજી

વધતા જતા પ્રાદેશિક તણાવ અને સંભવિત સંઘર્ષની શક્યતાઓ વચ્ચે, ઈરાને શુક્રવારે તેની મોબાઇલ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ કર્યું. પસંદગીના મોબાઇલ વપરાશકર્તાઓને મોકલાયેલા આ એલર્ટ દ્વારા સરકારે સંકેત આપ્યો છે કે કોઈપણ અણધારી પરિસ્થિતિ માટે દેશ તૈયારીને ઝડપથી મજબૂત બનાવી રહ્યો છે. જૂનમાં થયેલા 12 દિવસના ઈઝરાયલ–ઈરાન યુદ્ધ પછી ઈરાન ખુલ્લેઆમ રાષ્ટ્રીય સુરક્ષા માળખાને વિસ્તૃત કરી રહ્યું છે. તે જ સંઘર્ષ દરમિયાન ઈમરજન્સી ચેતવણી વ્યવસ્થામાં દેખાયેલ કેટલીક ખામીઓ બાદ સરકારે ચેતવણી સિસ્ટમને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પર થયેલા હુમલાઓએ પણ સરકારને વિશ્વાસ અપાવ્યો કે ભવિષ્યમાં ઝડપી અને વિશ્વસનીય ચેતવણી પ્રણાલી અનિવાર્ય છે. કોઈ એપ વગર સીધો ફોન સ્ક્રીન પર એલર્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા વચ્ચે ખાનગી મોબાઇલ વપરાશકર્તાઓને “કટોકટી…

લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત

લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી માટે લડી રહ્યા છે. દુઃખદ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું માહોલ સર્જી દીધું છે. બીજી તરફ, આ દુઃખની ક્ષણમાં વિશ્વભરના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. જાપાન, ઈરાન, આર્જેન્ટિના, બ્રિટન, માલદીવ અને બાંગ્લાદેશ સહિતના દેશોના રાજદૂતોએ ભારતીય લોકોને અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. જાપાનના રાજદૂત ઓનો કેઇચીએ જણાવ્યું કે, “દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી હું ખૂબ દુઃખી છું. પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે મારી ઊંડી સંવેદના છે અને ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.” ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર દુઃખ…

ઈરાનના બંદર અબ્બાસમાં ભયંકર વિસ્ફોટ, ચાર લોકોના મોત… 500 થી વધુ ઘાયલ

શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જે બાદ બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ બંદર અબ્બાસ શહેરના રાજાઈ બંદર પર થયો હતો. શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં ભયંકર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જે બાદ બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટને કારણે બારીઓના કાચ તૂટયા…

ટ્રમ્પની ચીમકી બાદ ઇરાને તેની મિસાઇલો લોન્ચ કરવા માટે તૈયાર મોડમાં રાખી

પરમાણુ કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓનો ઈરાને જવાબ આપ્યો છે. ઈરાને પોતાની મિસાઈલો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. તેહરાન ટાઇમ્સે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ઈરાને હવાઈ હુમલાનો સામનો કરવા માટે દેશભરમાં ભૂગર્ભ સુવિધાઓમાં તેની એ મિસાઈલોને લોન્ચ-રેડી મોડમાં રાખી છે, જે હવાઇ હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવી છે. આ પણ વાચો :- ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી આ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે જો જરૂર પડે તો અમેરિકા સંબંધિત સ્થળો પર પણ હુમલો કરવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. હકીકતમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (30 માર્ચ) ઈરાનને એક નવી ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન…

…ત્યારે હું તમને મારવામાં એક ક્ષણ પણ નહીં ખચકાવું, ઇરાનના સાંસદનું ટ્રમ્પ પર નિવેદન

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ટ્રમ્પે ગાઝા અંગે પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. ઈરાને આનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા પટ્ટીને ભેળવીને પુનઃવિકાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે ઈરાની સંસદમાં વિદેશ નીતિ આયોગના સભ્ય મુસ્તફા ઝરેઈએ મોટું નિવેદન આપ્યું છે. -> મુસ્તફા ઝરેઈએ ટ્રમ્પને ધમકી આપી :- ઈરાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એઈટા પર, ઈરાની સંસદમાં વિદેશ નીતિ આયોગના સભ્ય મુસ્તફા ઝરેઈએ કહ્યું, “મારા તરફથી, હું કહીશ કે જ્યારે પણ મને તક મળશે, ત્યારે હું તમને મારવામાં એક ક્ષણ પણ ખચકાટ નહીં કરું, ડોનાલ્ડ ટ્રમ્પ.” તેમના નિવેદનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું, “તે એક રાજકીય અધિકારી છે જે રાજદ્વારી રીતે આ કહી રહ્યા છે.…

વિશ્વ વિખ્યાત પોપ ગાયક અમીર તતાલુને ઇશનિંદાના આરોપમાં મૃત્યુદંડની સજા

વિશ્વ વિખ્યાત પોપ ગાયક અમીર તતાલુને ઈરાનમાં ઈશનિંદાના આરોપસર મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. અમીર તતાલુ પર પયગંબર મુહમ્મદનું અપમાન કરવાનો આરોપ હતો, જેને ઈરાનની સુપ્રીમ કોર્ટે સાચો ઠેરવ્યો અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે અગાઉ તતાલુને ઇશનિંદા અને અન્ય ગુનાઓ માટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી, પરંતુ કોર્ટે આ સજા સામે ફરિયાદીના વાંધાને સ્વીકારી લીધો હતો. હવે તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. -> પુનઃ તપાસમાં સરકારનું નિવેદન સાચું જણાયું – સુપ્રીમ કોર્ટ :- “આરોપી, અમીર હુસૈન મગસુદલૂ, જે અમીર તતાલુ તરીકે ઓળખાય છે, તેને અગાઉ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી,” ઈરાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. તતાલુની સજા સામે ફરિયાદીએ વાંધો ઉઠાવ્યા બાદ કેસ ફરીથી ખોલવામાં આવ્યો. જ્યારે તપાસ…