ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાએ રચ્યો ઈતિહાસ

સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે કેટલા, શું સોના અને ચાંદી લેવું હવે સપના જેવું થઈ જશે? આજે મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલી તેજી અત્યાર સુધીની સૌથી મોટી એક દિવસીય તેજી માનવામાં આવી રહી છે. એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો ચાંદીના ભાવમાં આજે 27 જાન્યુઆરીએ એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ આંકડા પર પહોંચી ગઈ છે. ગયા શુક્રવારે ચાંદીનો…

પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત

પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર અચાનક રદ કરી દીધો છે. આ નિર્ણય UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારતની સફળ મુલાકાત બાદ લેવામાં આવ્યો હોવાનું નોંધાયું છે. એક તરફ ભારત અને UAE વચ્ચે અબજો ડોલરના રોકાણ અને સંરક્ષણ કરારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાને તેના સૌથી જૂના ખાડી દેશના સહયોગનો ભરોસો ગુમાવી દીધો છે. UAEનો નિવેદન અને રાજકીય દૃષ્ટિકોણ UAE એ આ નિર્ણય પાછળ પાકિસ્તાની પ્રોજેક્ટ્સમાં “રસનો અભાવ” હોવાનું કારણ બતાવ્યું છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આ નિર્ણય પાછળ પાકિસ્તાનની આર્થિક નબળાઈ, આંતરિક રાજકીય અસ્થિરતા…

સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક સ્તરે: માર્કેટમાં ખરીદી ઠપ્પ, રોકાણકારોમાં ઉત્સાહ

સોના અને ચાંદીના ભાવોએ નવા રેકોર્ડ તોડી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને સુરક્ષિત રોકાણ તરીકેની વધતી માંગના કારણે બુલિયન માર્કેટમાં ભાવ રોજબરોજ નવા ઊંચા સ્તરે પહોંચી રહ્યા છે. રાજકોટની સોનીબજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,41,000 અને ચાંદીનો ભાવ ₹2,20,000 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. મુખ્ય માહિતી: – 24 કેરેટ સોનાનો બજાર ભાવ ₹1,38,500 પ્રતિ 10 ગ્રામ. – પ્રતિ ગ્રામ સોનાનો ભાવ ₹13,850થી વધુ. – આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,400 પ્રતિ ઔંસ, જે ઐતિહાસિક ગણાય છે. – ચાંદીના વાયદા ભાવોએ પણ અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. બજાર નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક રાજકીય તણાવ, ડોલરની નબળાઈ, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડ અપેક્ષા અને સોનાને “સેફ હેવન” તરીકે વધતી માંગ આ તેજી પાછળ…

સોનું-ચાંદી ઓલ ટાઈમ હાઈ, તૂટ્યા તમામ રેકોર્ડ; ભાવ 3 લાખ સુધી પહોંચવાની આગાહી

સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. બંને કિંમતી ધાતુઓ તેમના સર્વકાળના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે, અને આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક બજારોમાં રેકોર્ડ તૂટી ગયા છે. દેશી બજાર: દિલ્લીમાં સોનાનો ભાવ 1,38,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,14,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. સોનામાં રોજિંદો વધારો રૂ. 1,685 અને ચાંદીમાં રૂ. 10,400 નોંધાયો છે. MCX પર હાલના ભાવ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 1,36,150 પર ટ્રેડ થઈ રહ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનાનું ઉચ્ચતમ ભાવ રૂ. 1,36,199 અને નીચું રૂ. 1,34,899 નોંધાયું. આંતરરાષ્ટ્રીય બજાર પર અસર: આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર 24-કેરેટ સોનું 1.28% વધીને 4,443 ડોલર પ્રતિ ઔંસ (28.34 ગ્રામ) પર પહોંચી ગયું.…

G20 Summit: પ્રધાનમંત્રી મોદીએ નેસ્પર્સના CEO સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા

G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની નેસ્પર્સના ચેરમેન કૂસ બેકર અને સીઈઓ ફેબ્રિસિયો બ્લોઈસી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને રોકાણ વધારવા પર ચર્ચા કરવામાં આવી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલએ જણાવ્યું કે, ચર્ચાનું કેન્દ્ર AI, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, અવકાશ ક્ષેત્ર અને ગ્રાહક ટેકનોલોજીમાં નવી તકોમાં રોકાણ વધારવાનો હતો. જયસ્વાલે ઉમેર્યું કે, નેસ્પર્સની સફળતા ભારતમાં વ્યવસાય સરળતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને મજબૂત બનાવે છે. અંતરરાષ્ટ્રીય બેઠક અને સહયોગ વધારવો આ સમય દરમિયાન પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસ સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓએ સંરક્ષણ, સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજ, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી અને તેને વધુ આગળ વધારવા પર સંમત થયા.…

ચાંદીમાં અભૂતપૂર્વ તેજી, કિલોગ્રામનો ભાવ પોણા બે લાખની સપાટીને પાર

ચાંદીના ભાવમાં અપ્રતિમ તેજી જોવા મળી રહી છે, જ્યાં ચાંદીનું ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,90,000 થી વધુ પહોંચીને પોણા બે લાખની સપાટી પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ મુજબ, માત્ર એક જ દિવસે ચાંદીના ભાવમાં ₹10,000 નો ઝટકો નોંધાયો છે. આ તેજી પાછળ વૈશ્વિક બજારમાં સપ્લાયની અછત અને ઔદ્યોગિક માંગમાં સતત વધારો છે. ખાસ કરીને સોલર ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઝ, સેમીકન્ડક્ટર્સ અને 5G ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ચાંદીની વધતી માંગ એ મોટો કારણ છે. લંડન બુલિયન માર્કેટ અને US સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર 2025માં પણ ચાંદીના સપ્લાયમાં ખાધ રહેવાનું અનુમાન છે. ભારતીય બજારમાં ફિઝિકલ ચાંદીની અછતને કારણે સ્થાનિક ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ કરતાં વધારે પ્રીમિયમ પર ટ્રેડ થાય છે. બજાર નિષ્ણાતો માને છે કે ચાંદીનો ભાવ…

વડાપ્રધાન મોદી અને એલોન મસ્ક વચ્ચે આજે વ્હાઇટ હાઉસમાં મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને મળશે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સલાહકાર તરીકે ઉભરી આવ્યા છે.પીએમ મોદીની બે દિવસીય અમેરિકા મુલાકાતમાં ઘણા અન્ય નેતાઓને મળવાનો કાર્યક્રમ પણ શામેલ છે, પરંતુ એલોન મસ્ક સાથેની તેમની મુલાકાતને લઈને ખાસ ઉત્સાહ છે. પીએમ મોદી બુધવારે મોડી રાત્રે વોશિંગ્ટન પહોંચ્યા હતા -> પીએમ અને મસ્ક 2015 માં મળ્યા હતા :- આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદી અને એલોન મસ્ક સામસામે આવી રહ્યા છે. 2015 માં, વડા પ્રધાને સેન જોસમાં ટેસ્લાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી, જ્યાં મસ્કે તેમને વ્યક્તિગત રીતે ફેક્ટરી બતાવી હતી. જોકે, આ બેઠકનો સંદર્ભ અલગ…

બોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓમાંથી એક છે સૈફ અલી ખાન, જાણો છોટે નવાબ પાસે છે કેટલી સંપતિ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. તેઓ હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ઘરમાં ઘુસેલા ચોરોએ સૈફ પર હુમલો કર્યા બાદ હાલ સૈફ ખતરાની બહાર છે, પરંતુ આ ઘટના બાદ સૈફ સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં છે.. ચર્ચામાં એ સવાલ પણ છે કે સૈફ પાસે કુલ કેટલી સંપતિ છે. સૈફ બોલિવૂડનો ‘છોટે નવાબ’ છે. સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે. એટલા માટે તેમને બોલિવૂડમાં છોટે નવાબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. સૈફે બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’થી કરી હતી. પરંતુ તેને તેની ખરી ઓળખ ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મો પછી મળી. અત્યાર સુધી તેમણે ઘણી ઉત્તમ…