અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફોન પર કરી વાત, ટ્રાયમ્ફલ આર્ચ પ્રોજેક્ટ પર પણ ટ્રમ્પે આપ્યા ઇશારા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે સતત ચાલી રહેલા ઉચ્ચસ્તરીય સંપર્કનો એક ભાગ માનવામાં આવી રહી છે. માહિતી સર્જિયો ગોર, જે અમેરિકામાં ભારતના રાજદૂત અને દક્ષિણ-મધ્ય એશિયાના વિશેષ દૂત છે, દ્વારા આપી છે. પહેલાની વાતચીત ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની છેલ્લી ફોન વાતચીત 10 ડિસેમ્બર 2025માં થઈ હતી. તે સમયે બંને નેતાઓએ ટેરિફ અને વેપારને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ તાજેતરની વાતચીત બંને નેતાઓ વચ્ચે ત્રીજી વખતની ફોન પર ચર્ચા બની. ટ્રાયમ્ફલ આર્ચની ચર્ચા 1 ફેબ્રુઆરીએ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે વોશિંગ્ટન ડીસીમાં છેલ્લા 200 વર્ષથી એક ટ્રાયમ્ફલ આર્ચ બનાવવા અંગે ચર્ચા થઈ રહી છે, પરંતુ હજુ…

ભારત સામે ઝૂક્યું અમેરિકા : વેપારમાં મોટો ફેરફાર, ટેરિફ 25%થી ઘટીને 18%

અમેરિકાએ ભારત માટે ટેરિફમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. આ નિર્ણયની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેમણે વડાપ્રધાન મોદીને “મારા સૌથી નજીકના મિત્ર પૈકીના એક” અને “શક્તિશાળી અને સન્માનિત નેતા” ગણાવ્યો. ટેરિફ ઘટાડો: અમેરિકાએ ભારત માટે ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધું છે. ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય ભારતના રશિયા પાસેથી તેલ ખરીદીને બંધ કરવાની સંમતિ અને અમેરિકા પાસેથી તેલ ખરીદવા માટેની પ્રતિબદ્ધતાને લીધે લીધો છે. તેમણે ઉમેર્યું કે આ પગલાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ થશે. અમેરિકા-ભારત સંબંધ: ટ્રેડ કરારમાં બંને દેશો એકબીજા સાથે સહમતિએ આગળ વધશે.…

“પીએમ મોદી મારાથી ખુશ નથી કારણ કે…” ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું છે મામલો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને એક વખત ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને કારણે તેઓ પીએમ મોદાથી નારાજ છે. ટ્રમ્પના કહેવા મુજબ, રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારતને ઊંચા ટેરિફ ચૂકવવા પડે છે, જે બાબત તેમને પસંદ નથી. તેમણે કહ્યું, “વડા પ્રધાન મોદી ખૂબ સારા વ્યક્તિ છે. તેઓ જાણે છે કે હું નાખુશ છું અને મને ખુશ કરવું જરૂરી છે.” સંરક્ષણ અને વેપાર મુદ્દે ટ્રમ્પની ટિપ્પણી એક મુલાકાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમને મળવા માટે પોતે સમય માગ્યો હતો. સંરક્ષણ સહયોગ અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું…

H-1B વિઝામાં વિલંબ અને રદ થવા પર ભારતની ચિંતા, બાળકોના શિક્ષણ પર ગંભીર અસર

અમેરિકાના H-1B વિઝા સંબંધિત વિલંબ અને અચાનક ઇન્ટરવ્યુ રદ થવાના મામલે ભારત સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા વિલંબના કારણે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને નાણાકીય, શૈક્ષણિક અને પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે સરકારને H-1B વિઝા એપોઇન્ટમેન્ટ વારંવાર બદલાવા અને રદ થવા અંગે અનેક ફરિયાદો મળી છે. આ પરિસ્થિતિને કારણે ઘણા ભારતીય વ્યાવસાયિકો લાંબા સમયથી ભારતમાં ફસાયેલા છે અને તેઓ અમેરિકા પરત જઈ પોતાની નોકરી ફરી શરૂ કરી શકતા નથી. બાળકોના શિક્ષણ પર પડી રહી છે અસર પ્રવક્તાએ જણાવ્યું કે વિઝા વિલંબના કારણે માત્ર નોકરી નહીં, પરંતુ બાળકોના શિક્ષણ અને સમગ્ર પરિવારના જીવન…

‘50% ટેરિફ નાબૂદ થવો જોઈએ’, યુએસ સંસદમાં ભારત માટે અવાજ ઉઠ્યો

અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને ખુલ્લેઆમ પડકાર્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (ઉત્તર કેરોલિના), માર્ક વેઝી (ટેક્સાસ) અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોઇસ) એ રાષ્ટ્રીય આર્થિક કટોકટીની ઘોષણાને રદ કરવા માટે ઠરાવ રજૂ કર્યો છે. ઠરાવ હેઠળ તે ટેરિફ રદ કરવામાં આવશે, જે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય આયાત પર 50% સુધીનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. સાંસદો શું કહે છે? – ડેબોરાહ રોસ: “ઉત્તર કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે ખૂબ જ જોડાયેલી છે. ભારતીય કંપનીઓ અબજો ડોલરનું રોકાણ કરી રહી છે અને હજારો નોકરીઓનું સર્જન કરી રહી છે. ટેરિફ તે સંબંધને નુકસાન પહોંચાડી રહ્યા છે.” – માર્ક વેઝી: “આ ગેરકાયદે ટેરિફ ઉત્તર ટેક્સાસના સામાન્ય લોકોને…

PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, વ્યૂહાત્મક સહકાર અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા

PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, જેમાં ભારત–અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વના મુદ્દાઓ પર વિશદ ચર્ચા થઈ. આ વાર્તાલાપ એવા સમયમાં થઈ છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પણ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય મંચ પર વિશેષ ચર્ચામાં રહી છે. ચર્ચાના મુખ્ય મુદ્દા : – વ્યાપાર અને અર્થતંત્ર: બે નેતાઓએ બે દેશોની ટ્રેડ ડીલને વધુ ઝડપથી આગળ ધપાવવા પર ભાર મૂક્યો. PM મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને વિશ્વ અર્થતંત્રમાં મહત્વની ભૂમિકામાં છે અને વેપાર, ટેક્નોલોજી, રોકાણ અને આર્થિક સહકાર મજબૂત કરવાની જરૂર છે. – ટેકનોલોજી અને સુરક્ષા: આઈએ, સાયબર-સિક્યોરિટી, એનર્જી સલામતી, ડિફેન્સ પ્રોડક્શન, અને સપ્લાય ચેઇન સ્ટેબિલિટી જેવા ઉદ્યોગ અને રક્ષણ સંબંધિત મુદ્દાઓ પણ ચર્ચામાં આગળ રહ્યા. બંને દેશોનું માનવું…

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી મારા મિત્ર છે. અમે વારંવાર વાત કરીએ છીએ અને તેમણે મને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. અમે તારીખ નક્કી કરીશું.” જ્યારે તેમને પૂછાયું કે તેઓ આવતા વર્ષે ભારત આવી શકે છે કે નહીં, તો ટ્રમ્પ હસતાં જવાબ આપ્યા, “કદાચ, હા.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકાના વચ્ચે વેપાર કરારો અને વાટાઘાટો હજુ ચાલુ છે. ટ્રમ્પએ કહ્યું કે કેટલાક વેપાર મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ તેમની ટીમ તે મુદ્દાઓ પર કાર્યરત છે. ભારત-અમેરિકા વેપાર અને રાજકીય સંબંધો: ટ્રમ્પએ જણાવ્યું કે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર અંગે ચર્ચા…

PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી, ગાઝામાં શાંતિ માટે આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ગાઝામાં થયેલી શાંતિ યોજનાની સફળતા માટે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોની પ્રગતિનું પણ મૂલ્યાંકન કર્યું અને આગામી અઠવાડિયામાં વધુ સંપર્કમાં રહેવાની સંમતિ આપી. આ શાંતિ કરાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુએસના મધ્યસ્થત્વ હેઠળ કરવામાં આવેલ 20-પોઇન્ટ ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર થયેલ સંમતિને સમર્પિત છે. આ સંમતિ પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જેમાં તેમણે આ ઐતિહાસિક ક્ષણની વધાઈ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી કે ઇઝરાયલ અને હમાસ બંનેએ ગાઝામાં લડાઈ રોકવા અને બંધકો અને કેદીઓને મુક્ત કરવા માટે આ કરાર…

ટેરિફ યુદ્ધમાં19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું કે…, જાણો અહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર તણાવ ઊભો થયો છે. હવે આ નિર્ણયના લીધે ટ્રમ્પ પોતાનાં જ દેશમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. અમેરિકી કોંગ્રેસના 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી આ ટેરિફ તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે. ટ્રમ્પના ટેરિફનો ભારત અને અમેરિકી અર્થતંત્ર પર પ્રભાવ: ટેરિફ પૃષ્ઠભૂમિ: ઓગસ્ટ 2025માં ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25% વધારાના ટેરિફ લાગુ કર્યા હતા. પહેલાથી લાગૂ 25% સાથે આ દર હવે કુલ 50% થયો છે. લક્ષ્યાંકિત ચીજવસ્તુઓ: કપડાં, જ્વેલરી, જૂતા, રસાયણો અને ક્રીડા સામાન જેવા ઉત્પાદનો, જે ભારતની નિકાસનો મોટો હિસ્સો ધરાવે છે. અમેરિકન નાગરિકોને અસર: ટેરિફ વધતા અમેરિકન ગ્રાહકો અને ઉત્પાદકો પર ભાવવૃદ્ધિનો સીધો અસર થાય છે. કોંગ્રેસનો…

અમેરિકાનું કાશ્મીર મુદ્દે મોટું નિવેદન, મોદી-ટ્રમ્પની મુલાકાતને લઈ મોટું અપડેટ

ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ગત કેટલાંક સમયથી ઉતાર-ચઢાવ જોવાઈ રહ્યો છે. છતાં પણ બંને દેશો વચ્ચેનો સહકાર વિવિધ ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ રહ્યો છે. તાજેતરમાં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ ભારત-USA સંબંધો વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં ખાસ કરીને કાશ્મીર મુદ્દે સ્પષ્ટ વલણ, QUAD સમિટ અંગે અપડેટ, અને PM મોદી તથા ટ્રમ્પ વચ્ચેની ભવિષ્યની મુલાકાત અંગે મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવ્યા છે. અમેરિકા તરફથી કાશ્મીર મુદ્દે સ્પષ્ટ સંદેશો સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશાસન કાશ્મીર વિવાદમાં પોતપોતાની તરફથી મધ્યસ્થી કરવા માંગતું નથી. કાશ્મીર બાબતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પ પ્રશાસનનું વલણ છે કે “કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આંતરિક મુદ્દો છે. જો બંને પક્ષો સ્પષ્ટ રીતે મધ્યસ્થીની માંગ…