ટેરિફ યુદ્ધમાં19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું કે…, જાણો અહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર તણાવ ઊભો થયો છે. હવે આ નિર્ણયના લીધે ટ્રમ્પ પોતાનાં જ દેશમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. અમેરિકી કોંગ્રેસના 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી આ ટેરિફ તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે.

ટ્રમ્પના ટેરિફનો ભારત અને અમેરિકી અર્થતંત્ર પર પ્રભાવ:
ટેરિફ પૃષ્ઠભૂમિ: ઓગસ્ટ 2025માં ટ્રમ્પે ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 25% વધારાના ટેરિફ લાગુ કર્યા હતા. પહેલાથી લાગૂ 25% સાથે આ દર હવે કુલ 50% થયો છે. લક્ષ્યાંકિત ચીજવસ્તુઓ: કપડાં, જ્વેલરી, જૂતા, રસાયણો અને ક્રીડા સામાન જેવા ઉત્પાદનો, જે ભારતની નિકાસનો મોટો હિસ્સો ધરાવે છે. અમેરિકન નાગરિકોને અસર: ટેરિફ વધતા અમેરિકન ગ્રાહકો અને ઉત્પાદકો પર ભાવવૃદ્ધિનો સીધો અસર થાય છે.

કોંગ્રેસનો વિરોધ – “ભારત સાથેના સંબંધો ન બગાડો”
ડેમોક્રેટિક સાંસદ રો ખન્ના અને ડેબોરા રોસ સહિત 19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું કે,“આ પ્રકારની નીતિઓ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ સાથેના સંબંધોને તણાવપૂર્ણ બનાવે છે. આથી ટૂંક સમયમાં નિર્ણયમાં સુધારો લાવવો જોઈએ.”

ભારતનો જવાબ – ‘લક્ષ્મણ રેખા’ ઉભી કરી દીધી
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું કે,“અમે સ્પષ્ટ કર્યું છે કે ભારત પોતાની ઊર્જા સુરક્ષા માટે કોઈ સમજૂતી નહીં કરે. રશિયન તેલની ખરીદી અમારા રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે.” આ નિવેદનથી ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટેરિફથી દબાવ ન આવે.

અર્થશાસ્ત્રીઓની ચેતવણી
ભારતના નિકાસકારોને નુકસાન: ટેરિફના કારણે નિકાસમાં ઘટાડો થવાની આશંકા છે, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા નિકાસ આધારિત રાજ્યોમાં GPD વૃદ્ધિ પર અસર: ભારતીય જીડીપીમાં 0.2%થી 0.4% સુધી ઘટાડો થઈ શકે છે. વિયેતનામ અને મેક્સિકો જેવા દેશોને લાભ: આ બજારો ભારતની જગ્યાએ ઊભરતા સાબિત થઈ શકે છે.

ભવિષ્યમાં શું?
ભારતે હાલમાં પ્રતિટેરિફ ન લગાવવાનો નિર્ણય લીધો છે પરંતુ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વેપાર વિવાદનો સમાધાન જરૂરી છે, નહીંતર તેનો આંતરરાષ્ટ્રીય વેપારમાં ઊંડો અસર થઈ શકે છે.

Related Posts

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *