સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: લિફ્ટ અકસ્માતમાં ડેવલોપર, મેઈન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ માલિક જવાબદાર ગણાશે

લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી તેમજ બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટની પણ જવાબદારી નક્કી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક સુવિધા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલું સુરક્ષા સાધન છે. તેથી લિફ્ટની ડિઝાઇન, સ્થાપન, નિયમિત તપાસ અને જાળવણીમાં બેદરકારી દાખવનાર દરેક પક્ષ સામે જવાબદારી નક્કી કરી શકાય છે. લિફ્ટને ‘Common Carrier’ તરીકે ગણાવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે લિફ્ટને જાહેર પરિવહનના સાધન સમાન ગણાવી તેને ‘Common Carrier’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. કોર્ટનું કહેવું છે કે લિફ્ટમાં મુસાફરી…

સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”

લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર…

BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી ધોરણે BLOની કામગીરીમાં રાહત આપવા અપીલ કરી છે. ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈનાત BLOને અતિશ્વ કામHours આપવામાં આવી રહ્યાં હોવાની બાબતને ગંભીરતાથી લીધી. એપેક્સ કોર્ટે સ્પષ્ટ કર્યું કે BLOને ફરજો બજાવવાની ફરજ છે, પરંતુ સરકારો તેમની તરફ માનવતાવાદી અભિગમ અપનાવે તે અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટના ત્રણ મુખ્ય નિર્દેશ સુપ્રીમ કોર્ટે BLO પર વધતા દબાણને ઘટાડવા માટે નીચેના ત્રણ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા: 1. કામના કલાકોમાં છૂટ રાજ્ય સરકારો BLO માટે કાર્ય સમય ઘટાડે જેથી તેમના પર વધુ…

સેલવાસ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 વર્ષીય તરૂણ સાથે અપરાધ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

સેલવાસના કૂડાચા ગામમાં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં સેલવાસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રૂસ્તમ અલાઉદીન ખાનને 20 વર્ષની કેદ તથા ₹25,000 દંડની સજા ફટકારી છે. દંડ નહીં ભરાય તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાની રહેશે. ઘટનાનો વિગતવાર ક્રમ વર્ષ 2024ની 26 માર્ચે કૂડાચા ગામે રહેતો એક પરપ્રાંતિય પરિવાર રોજની જેમ નોકરી પર ગયો હતો. તેમના 13 વર્ષીય પુત્ર અશોક (નામ બદલેલ) ટ્યુશન ક્લાસ માટે ઘરેથી નીકળ્યો ત્યારે પાડોશી રૂસ્તમ ખાને તેનો માર્ગ રોકી મોઢું દબાવી પોતાની રૂમમાં ખેંચી ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરીને આરોપીએ કિશોરના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. તક મળતા તરૂણ ભાગીને ઘરે પહોંચી ગયો અને પરિવારને સમગ્ર બનાવની…

જસ્ટિસ સૂર્યકાંત આજે શપથ લેશે 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે, બીઆર ગવઈ વિદાય લેતા આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

આજે જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. તેઓ જસ્ટિસ બીઆર ગવઈનું સ્થાન લેશે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરનારી કલમ 370, બિહાર મતદાર યાદી સમીક્ષા અને પેગાસસ સ્પાયવેર કેસનો સમાવેશ થાય છે. જસ્ટિસ સૂર્યકાંતનો કાર્યકાળ આશરે 15 મહિનાનો રહેશે અને તેઓ 9 ફેબ્રુઆરી 2027ના રોજ નિવૃત્ત થશે. નિવૃત્ત થઈ રહેલા CJI જસ્ટિસ બીઆર ગવઈનું નિવેદન નિવૃત્તિ પહેલા જસ્ટિસ ગવઈએ કહ્યું કે તેઓ નિવૃત્તિ પછી કોઈપણ સરકારી પદ સ્વીકારશે નહીં. તેઓએ કોલેજિયમ સિસ્ટમનો પણ બચાવ કર્યો અને જણાવ્યું કે તે ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવામાં મદદ કરે છે. જસ્ટિસ ગવઈએ પોતાને કાર્યકાળ દરમિયાન કોઈપણ મહિલા ન્યાયાધીશની નિમણૂક ન થતા દુઃખ વ્યક્ત કર્યું અને છેલ્લા દિવસે અનેક મુદ્દાઓ…

યામી ગૌતમની ફિલ્મ ‘હક’ને રાહત : હાઈકોર્ટએ શાહબાનોની પુત્રીની અરજી ફગાવી, હવે રિલીઝનો રસ્તો સાફ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ હવે તેની નિર્ધારિત તારીખે 7 નવેમ્બર રિલીઝ થવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે શાહબાનો કેસ પરથી પ્રેરિત આ ફિલ્મને રોકવાની અરજીને ફગાવી દીધી છે, જેના કારણે ફિલ્મ પરનો કાનૂની ખતરો ટળી ગયો છે. અરજીકર્તા સિદ્દિકા બેગમ ખાન, જે પ્રખ્યાત શાહબાનો કેસની પુત્રી છે, તેમણે ઈન્દોર હાઈકોર્ટમાં અરજી કરીને દાવો કર્યો હતો કે આ ફિલ્મ તેમની માતાની કથા પરથી પ્રેરિત છે અને નિર્માતાઓએ પરિવારની પરવાનગી લીધા વિના ફિલ્મ બનાવી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે ફિલ્મમાં શરિયા કાયદાનું ખોટું પ્રતિનિધિત્વ કરાયું છે, જે મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તેમ છતાં, હાઈકોર્ટએ અરજી ફગાવતા નોંધ્યું કે ફિલ્મના ડિસ્ક્લેમર મુજબ ‘હક’ એક કાલ્પનિક કૃતિ…

ભારતને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ સૂર્યકાંત બનશે દેશના 53મા CJI, નિયુક્તિની પ્રક્રિયા શરૂ

ભારતના ન્યાયિક તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. હાલના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે. નિયુક્તિની પ્રક્રિયા શરૂ પરંપરા મુજબ, વર્તમાન CJI નિવૃત્ત થવા એક મહિના પહેલા કાનૂન મંત્રીને પોતાના અનુગામીની ભલામણ કરે છે. સૂત્રો અનુસાર, કાયદા મંત્રાલયે આ બાબતે જસ્ટિસ ગવઈને પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરવાની વિનંતી કરવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાંતનો કારકિર્દી પ્રવાસ જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમણે 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું. CJI…

મહેસાણામાં પ્રેમ લગ્નની અદાવતના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ

મહેસાણા જિલ્લામાં વર્ષ 2019માં પ્રેમલગ્નની અદાવતમાં યુવકનું અપહરણ કરીને તેને માર મારવાની ઘટનાને લઈ ચુકાદો આપ્યો છે. મહેસાણાની એડિશનલ સેશન કોર્ટે આ ગંભીર ગુનામાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં પટેલ ગોવિંદ, પટેલ સંજય અને પટેલ સમીર નામના આરોપીઓએ યુવાન સાથે જુનાવટ રાખીને તેને અપહરણ કરી શારીરિક હિંસા કરી હતી. કોર્ટમાં પૂરાવાઓના આધારે ત્રણેય આરોપીઓને કાયદેસર દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ચોથી વ્યક્તિને પુરાવાની અછતના કારણે નિર્દોષ ઠેરવવામાં આવ્યો છે. આ ચુકાદો બતાવે છે કે કોર્ટ કોઈપણ પ્રકારની વ્યક્તિગત અદાવતના ગુનાઓ સામે કડક વલણ રાખે છે અને દોષિતોને યોગ્ય સજા આપવાનો સદાય પ્રયત્ન કરે છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW…

સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજી વિસાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર ઘટનાની તપાસ કરવા અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી કેમ ફગાવી? ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ અરજી પર સુનાવણી કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી હતી, પરંતુ જાણ થતાં કે અરજદાર અગાઉથી જ 10થી વધુ જાહેર હિતની અરજી દાખલ કરી ચુક્યા છે, તેમણે આ નવી અરજી પર સુનાવણીનો દરવાજો બંધ કર્યો અને અરજી ફગાવી દીધી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટે અરજીનો વિરોધ કરતા કહ્યું કે અરજી માત્ર સમાચાર અહેવાલો પર આધારિત છે…

સુપ્રીમ કોર્ટનો સરોગસીને લઇ મહત્વપૂર્ણ ચુકાદો, 2021 પહેલા પ્રક્રિયા શરૂ કરનારા યુગલો માટે વય મર્યાદાની શરતો લાગુ નહીં પડે

ભારતના સુપ્રીમ કોર્ટએ સરોગસી કાયદાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેંચે નિર્ણય કર્યો કે જેમણે 2021ના “સરોગસી (નિયમન) અધિનિયમ” લાગુ થવાના પહેલાં સરોગસી પ્રક્રિયા શરૂ કરી હતી, તેઓ પર નવાં કાયદાની વય મર્યાદાની શરતો લાગુ નહીં પડે. શું છે મુદ્દો? સરોગસી (નિયમન) અધિનિયમ, 2021 ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલો કાયદો છે, જે 25 જાન્યુઆરી, 2022થી અમલમાં આવ્યો. આ કાયદા હેઠળ, સરોગસી માટે પાત્ર બનવા માટે: – સ્ત્રીની ઉંમર: 23 થી 50 વર્ષ – પુરુષની ઉંમર: 26 થી 55 વર્ષ આ મર્યાદા કાનૂની રીતે ફરજિયાત હતી. પણ ઘણી દંપતીઓએ આ કાયદા અમલમાં આવે તે પહેલા જ પોતાની સરોગસી પ્રક્રિયા શરૂ કરી હતી (જેમ કે ગેમેટ્સ ફ્રોઝન કરવી કે ભ્રૂણ…