વર્ષ 2026માં 4 માર્ચે ઉજવાશે રંગોનો તહેવાર ધુળેટી
સનાતન ધર્મમાં હોળી અને ધુળેટીનું વિશેષ મહત્વ છે. ફાગણ મહિનાની પૂર્ણિમા પછી ઉજવાતો આ રંગોત્સવ માત્ર રંગોનો તહેવાર જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈચારા અને આનંદનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026માં ધુળેટી 4 માર્ચ, બુધવારના રોજ ઉજવાશે. પંચાંગ અને હિંદુ કેલેન્ડરની ગણતરી મુજબ, હોળી દહન પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે, જ્યારે બીજા દિવસે રંગોની ધુળેટી ઉજવાય છે. લોકો એકબીજાને રંગ-ગુલાલ લગાવી શુભેચ્છાઓ પાઠવે છે અને આનંદમય વાતાવરણ સર્જાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળી અનિષ્ટ પર સદગુણના વિજયનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આ તહેવાર સાથે જોડાયેલી છે, જેમાં સત્ય અને ભક્તિની જીત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને હોળી અતિપ્રિય હતી. ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં 40 દિવસ સુધી વિવિધ પ્રકારની હોળી ઉજવાય છે. અહીં લઠ્ઠમાર…
વસંત પંચમી ક્યારે છે? 23 કે 24 જાન્યુઆરી – અહીં દૂર કરો તમારી મુંજવણ
વસંત પંચમી, જેને બસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી મા સરસ્વતીને સમર્પિત પવિત્ર તહેવાર છે. માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય થયો હતો, તેથી તેને સરસ્વતી જયંતિ પણ કહેવામાં આવે છે. આ તહેવાર ધાર્મિક સાથે-સાથે સાંસ્કૃતિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો અને સંગીતપ્રેમીઓ મા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન અને બુદ્ધિ માટે આશીર્વાદ માગે છે. લોકો પીળા કપડાં પહેરે છે અને પીળા ફૂલો તથા વાનગીઓથી પૂજા કરે છે. વસંત પંચમી 2026ની સાચી તારીખ આ વર્ષે વસંત પંચમીની તિથિ 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 2:28 વાગ્યે શરૂ થઈ અને 24 જાન્યુઆરીએ 1:46 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે વસંત પંચમી 23 જાન્યુઆરી 2026…








