નિકાસના નવા દ્વાર ખુલશે: ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ગુજરાતના અર્થતંત્રને નવી ઉંચાઈ મળશે – GCCI
ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના વાઇસ પ્રેસિડેન્ટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ડીલના અમલથી આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્રને નવી દિશા અને ઉંચાઈ મળશે. તેમના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ગુજરાતના અગ્રણી ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, કેમિકલ્સ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે આ ટ્રેડ ડીલ આશીર્વાદરૂપ સાબિત થશે. આ ક્ષેત્રોમાં નિકાસની વિશાળ તકો ઊભી થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતના ઉત્પાદનોને નવી ઓળખ મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોના ઉત્પાદનો પર ઉંચી ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે, જેના કારણે હવે તેનો સીધો ફાયદો ભારતને મળશે. પરિણામે વૈશ્વિક બજારમાં ભારતીય ચીજવસ્તુઓ વધુ સ્પર્ધાત્મક બનશે અને નિકાસમાં…
ચા-કોફીથી લઈને ફાર્મા આઇટમ્સ સુધી 0% ટેરિફ, ભારત-અમેરિકા અંતરિમ ટ્રેડ ડિલની મોટી જાહેરાત
ભારત અને અમેરિકા વચ્ચે અંતરિમ ટ્રેડ ડિલના ફ્રેમવર્ક જાહેર થયા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની વિગતો જાહેર કરી. તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતની અનેક નિકાસ વસ્તુઓ પર 0 ટકા ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે ભારતે અમેરિકાને કૃષિ અને ડેરી ઉત્પાદનો પર કોઈપણ પ્રકારની છૂટ આપેલી નથી. પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે આ કરાર ભારતીય ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. સાથે જ આ ફ્રેમવર્ક ભારત માટે વિશ્વના સૌથી મોટા બજારમાં વધુ તકો ખોલશે. આ વસ્તુઓ પર લાગશે 0% ટેરિફ અમેરિકા દ્વારા ભારતની જે વસ્તુઓ પર શૂન્ય ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે તેમાં જેમ્સ અને ડાયમંડ્સ, ફાર્મા અને ફાર્માસ્યુટિકલ્સ, સ્માર્ટફોન, મસાલા, ચા, કોફી, નારિયેળ,…
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મહોર, જાણો વિગત
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સોમવારે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી અને જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે કરારની તમામ વિગતો પર આખરી સંમતિ સધાઈ ગઈ છે. સંતુલિત અને ભવિષ્યલક્ષી કરાર રાજેશ અગ્રવાલે જણાવ્યું કે આ કરાર ભારત માટે સંતુલિત અને ભવિષ્યલક્ષી છે. આ ડીલથી ભારત અને યુરોપીયન દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે, જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. હસ્તાક્ષર અને અમલીકરણ – વાટાઘાટો પૂર્ણ થઈ ચુકી છે, અને કરાર અંતિમ તબક્કે છે. – હાલમાં FTA ના લખાણની કાયદાકીય ચકાસણી (Legal Scrubbing) ચાલી રહી છે. – સરકારનો લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધી હસ્તાક્ષર…










