અમેરિકા જવાની લાલચમાં અઝરબૈજાનમાં ગુજરાતી યુવક-યુવતી બંધક, પરિવાર પાસેથી રૂ. 65 લાખ વસૂલ્યા

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી આંતરરાષ્ટ્રીય ઠગાઈના જાળમાં ફસાયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અઝરબૈજાનમાં બંનેને બંધક બનાવી તેમના પરિવાર પાસેથી કુલ રૂ. 65 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના એજન્ટોની લાલચમાં આવી વિદેશ રવાના આણંદ જિલ્લાના ઝાંખરીયા ગામનો યુવક અને વાસદની યુવતી અમેરિકા જવા ઇચ્છતા હતા. આ દરમિયાન મુંબઈના એજન્ટોએ તેમને અઝરબૈજાન અને કેનેડા મારફતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપી હતી. એજન્ટોની વાતોમાં આવી બંને 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. યોજના અનુસાર તેમને અઝરબૈજાન થઈને કેનેડા અને ત્યાંથી અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ દિલ્હીથી અઝરબૈજાન લઈ જઈ બંનેને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વીડિયો કોલ પર મારઝૂડ, ખંડણીની માંગ પરિવારજનોના જણાવ્યા…

ભૂમધ્ય સમુદ્ર બન્યો ‘મોતનું સરનામું’: લીબિયાના કિનારે હોડી પલટી, 53 ના જીવન સમુદ્રમાં દફન

યુરોપમાં સારી જીવનની શોધમાં નીકળેલી હોડીમાં 53 પરપ્રાંતિય શ્રમિકોનું ભૂમધ્ય સમુદ્રમાં કરુણ મોત નીપજ્યું છે. ઉત્તર આફ્રિકા દેશ લીબિયાના દરિયાકાંઠેથી યુરોપ પહોંચવાના પ્રયાસમાં નીકળેલી હોડી તોફાની મોજાઓ સામે હાર માની ગઈ અને પલટી ગઈ, જેના કારણે ડઝનો લોકોના સપનાઓ મોજામાં વિખરી ગયા. માનવ તસ્કરીનો ભયાનક માહોલ પ્રાપ્ત અહેવાલો મુજબ, માનવ તસ્કરોએ ક્ષમતા કરતા વધુ લોકોને નાનકડી રબર બોટમાં ભરી, સલામતી સાધનો કે લાઈફ જેકેટ વગર દરિયામાં છોડ્યાં હતા. મોજાઓના અથડામણ અથવા એન્જિન ફેઈલ થવાને કારણે બોટ પલટી ગઈ. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકો શામેલ છે, જે ગરીબી અને અંધાધૂંધી જીવનથી બચવા યુરોપમાં આશરો મેળવવા નીકળ્યા હતા. “તરતા કબ્રસ્તાન” સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM)ના મતે, ભૂમધ્ય સમુદ્રનો આ પટ્ટો હવે ‘તરતા કબ્રસ્તાન’ તરીકે ઓળખાય છે.…

‘ફેમસ પ્રધાનમંત્રીએ મને પીંખી નાખી’ – એપસ્ટીન ટાપુની કાળી કરતૂતનો મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

જેફરી એપસ્ટીનના મોતને સાત વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં તેની બનાવેલી અંધારી દુનિયા આજે પણ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી રહી છે. ‘એપસ્ટીન ફાઇલ્સ’ના નામે સામે આવી રહેલા નવા ખુલાસાઓ ફરી એકવાર એ વાતને ઉજાગર કરે છે કે માનવ તસ્કરી, યૌન શોષણ અને સત્તાના દુરુપયોગનું જાળું કેટલું ઊંડું અને ખતરનાક હતું. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ફરી એકવાર વર્જિનિયા જ્યુફ્રેનું નામ ચર્ચામાં આવ્યું છે. મૃત્યુ પછી પ્રકાશિત આત્મકથાએ હચમચાવી દુનિયા વર્જિનિયા જ્યુફ્રે, જેમણે એપસ્ટીન અને તેના શક્તિશાળી નેટવર્ક સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો, તેમની આત્મકથા ‘Nobody’s Girl’ તેમના અવસાનના છ મહિના પછી પ્રકાશિત થઈ છે. પુસ્તક પ્રકાશિત થતાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આત્મકથા માત્ર એક વ્યક્તિની પીડાની કહાણી નથી,…

IAFએ ઇતિહાસ રચ્યો: મ્યાનમારમાં કૌભાંડના શિકાર બનેલા કુલ 1,500 લોકોને સફળ મુક્ત કરાયા, જાણો વિગત

ભારતીય વાયુસેના (IAF) એ ફરી એક વખત પ્રશંસનીય કામગીરી કરતા થાઇલેન્ડના માએ સોટ વિસ્તારથી 125 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત મોકલ્યા. મ્યાનમારના માયાવાડી વિસ્તારમાં ફેલાયેલા નોકરી કૌભાંડના જાળમાં ફસાયેલા ભારતીયોને મુક્ત કરવા માટે ભારત દ્વારા સતત પ્રયત્નો ચાલુ છે. માર્ચ 2024થી અત્યાર સુધીમાં કુલ 1,500 ભારતીયોને બચાવવામાં આવ્યા છે. ભારત સરકારના માર્ગદર્શનમાં બેંગકોક સ્થિત ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઇના કોન્સ્યુલેટે, થાઇલેન્ડની વિવિધ સરકારી એજન્સીઓ સાથે મળીને, આ ફસાયેલા ભારતીયોને માનવતાવાદી આધાર પર સ્વદેશ પરત લાવવા મદદરૂપ બન્યા છે. દૂતાવાસની કડક ચેતવણી દૂતાવાસે તમામ ભારતીયોને ખાસ ચેતવણી આપી છે કે “વિદેશમાં નોકરી માટે જતા પહેલા કંપની અને એજન્ટોની સઘન તપાસ કરવી જરૂરી છે. થાઇલેન્ડમાં વિઝા-મુક્ત પ્રવેશ માત્ર પર્યટન અને નાના વ્યવસાય માટે માન્ય છે, રોજગાર માટે…