કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ
ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…
1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર: હવે કેશ નહીં, ફક્ત ડિજિટલ ચુકવણી ફરજિયાત
જો તમે કાર, બાઈક અથવા અન્ય કોઈ ખાનગી વાહન દ્વારા રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝાની વ્યવસ્થામાં મોટો બદલાવ લાવવામાં આવી રહ્યો છે. 1 એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે ટોલ ટેક્સ ચૂકવવા માટે માત્ર FASTag અથવા UPI જેવી ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો પડશે. એટલે કે જે વાહનચાલકો પાસે FASTag નહીં હોય અથવા UPI દ્વારા ચુકવણી કરવા સક્ષમ નહીં હોય, તેમને ટોલ પ્લાઝા પાર કરવામાં મુશ્કેલી પડી શકે છે. હવે ડિજિટલ ચુકવણી જ માન્ય અત્યાર સુધી ઘણા ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી માટે અલગ લેન રાખવામાં આવતી હતી,…








