કુકુ કોહલીનું 77 વર્ષની વયે નિધન, ‘ફૂલ ઔર કાંટે’થી અજય દેવગનને આપ્યો હતો બોલિવૂડમાં બ્રેક
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કુકુ કોહલીનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ખાસ કરીને 1991માં આવેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ માટે જાણીતા હતા. આ ફિલ્મ દ્વારા અજય દેવગને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. કુકુ કોહલીના અવસાનના સમાચારથી બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ છે. કુકુ કોહલીએ મંગળવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદય સંબંધિત સમસ્યા બાદ સ્ટેન્ટ પણ મૂકવામાં આવ્યો હતો. સારવાર બાદ તેમની સ્થિતિ સામાન્ય દેખાઈ રહી હતી, પરંતુ ત્યારબાદ અચાનક તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. સારવાર બાદ અચાનક આવ્યો હાર્ટ એટેક…
મહારાષ્ટ્રના થાણેમાં ભયાનક અકસ્માત: બેકાબૂ કારએ અનેક વાહનોને અડફેટે લીધા, 4નાં મોત
થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે સાંજે એક દિલદહોળી નાખનાર અકસ્માત સર્જાયો હતો. શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા કાર બેકાબૂ થઈ ગઈ અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારતા ચાર લોકોના મોત થયા છે. અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. CCTV ફૂટેજમાં કેદ થયેલા ભયાનક દ્રશ્યો અકસ્માતના CCTV ફૂટેજમાં દેખાય છે કે સાંજે 6:42 વાગ્યે ઝડપી ગતિએ આવી રહેલી કાર એકના પછી એક 4–5 વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં બે બાઇક પણ સામેલ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે એક બાઇક સવાર હવામાં ઉછળી ફ્લાયઓવરની બીજી બાજુ જઈ પડ્યો. દ્રશ્યો એટલા ચોંકાવનારા છે કે સ્થાનિક લોકો વચ્ચે ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. મૃતકો અને ઘાયલો કાર…
બિહાર: તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. ચંદ્રશેખર સિંહની તબિયત અને સારવાર પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા અનેક દિવસોથી ગંભીર રીતે બીમાર હતા. ચૂંટણી પ્રચારમાં તેઓ ભાગ લઈ શક્યા નહોતા. 31 ઓક્ટોબરે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક પટનાની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. સતત સારવાર દરમિયાન આજે ફરી હૃદયરોગનો જીવલેણ હુમલો આવતા તેમનું અવસાન થયું. રાજકીય વર્તુળોમાં શોકની લાગણી તરારી વિધાનસભા વિસ્તારમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારના આકસ્મિક અવસાનથી સ્થાનિક રાજકીય માહોલમાં શોક અને નિરાશાનો…
Rajkot: પરબધામના મહંતને આવ્યો હાર્ટએટેક, સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાત્કાલિક સારવાર માટે તેમને રાજકોટની જાણીતી સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી ગઈ છે. કમ્પ્લીટ હાર્ટ બ્લોકનું નિદાન સીનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, કરસનદાસ બાપુને Complete Heart Block થયું છે. વધુમાં જણાવાયું કે તેમનાં પલ્સ પણ ઘટી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. જોકે, સારવારમાં તત્કાળ પગલાં લેવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયતમાં સુધારાના પ્રયાસો ચાલી રહ્યા છે. ભક્તોમાં ચિંતાનું મોજું આ સમાચાર મળતા જ પરબધામ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમના ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કરસનદાસ બાપુના આશીર્વાદ અને પ્રવચનોનો લાભ લેવા માટે હજારો ભક્તો…
Ahmedabad : રાજ્યમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત, DG ઓફિસમાં કાર્યરત PIએ ગુમાવ્યો જીવ
હાર્ટ અટેકની મોતના સતત કિસ્સા વધી રહ્યા છે. જેમાં નાના બાળકથી લઇને યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક પોલીસ જવાનનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. પીઆઇ આર.એલ.ખરાડીનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતનાં પ્રવાસે, અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક! અમદાવાદમાં ફરજ બજાવી ચૂકેલા PI આર.એલ.ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.પીઆઈ ખરાડી હાલમાં DG ઓફિસમાં કાર્યરત હતા તો અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને સારવાર મળે તે પહેલા મોતને ભેટયા હતા. આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, સુરક્ષાને લઈને…
Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
ગુજરાતમાં એક પછી એક યુવાનોના હૃદય બંધ પડી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે. તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા. આ દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો. અને હોસ્પિટલમાં ખસેડવામાં…












