અમરેલીના રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરાથી ફફડાટ: વન વિભાગ દોડતું થયું
ગુજરાતના ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહો અને દીપડાના રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસના ગામોમાં સિંહ તથા દીપડાના આંટાફેરાના વીડિયો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો જોવા મળ્યો હતો, જ્યારે નજીકના ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકારની શોધમાં ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયા બાદ વન વિભાગની ટીમ સક્રિય બની છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલીના રાજુલા શહેરમાં દીપડો દેખાતા લોકોમાં ભય અમરેલી જિલ્લાના રાજુલા શહેરના આગરીયા જકાત નાકા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, સન્યાસ આશ્રમ…
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને…
કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન
કચ્છના રાપર વિસ્તારમાં રણના ખાડીરો અને અમરાપરથી શિરાંનીવાંઢ તરફ જતા માર્ગ વચ્ચે સુરખાબ પક્ષીઓનું વિશાળ જમાવડો જોવા મળ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આ નયનરમ્ય દ્રશ્ય દરેક વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન રણના વિસ્તારમાં વર્ષોથી ફ્લેમિંગો ઈંડાં મૂકી બચ્ચા ઉછેર કરે છે. કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે ખાસ મહત્વ ધરાવે છે. આ વિસ્તાર મધ્ય એશિયાની ફ્લાયવેનો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વપૂર્ણ માર્ગ અને નિવાસ સ્થળ છે. સંખ્યામાં વૃદ્ધિ આ ક્ષેત્રમાં પાંચ વર્ષ પહેલા લગભગ 1 થી 1.25 લાખ સુરખાબ નોંધાયેલા હતા, જે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. વર્તમાન વર્ષમાં આ સંખ્યા વધુ વધી શકવાની શક્યતા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે…









