કુદરતી આફતનો કેર: આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 6 લોકોના મોત અને પાકને નુકસાનનો ભય
રાજ્યમાં ફરી એકવાર કુદરતનો કહેર સર્જાયો છે. હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. સોમવાર સાંજથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન અને ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે કેટલાય શહેરોમાં તબાહી સર્જાઈ હતી. વરસાદ અને પવનના કારણે કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાને કારણે કેટલાય વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. છ લોકોના જીવ ગયા, સૌથી વધુ નુકસાન વડોદરામાં સોમવારે સાંજે અને રાત્રે પવન સાથે પડેલા ભારે વરસાદમાં વડોદરાના 3 લોકોના મોત, અરવલ્લીમાં 2 લોકોના મોત અને અમદાવાદમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ તમામ દુર્ઘટનાઓ પવનના કારણે વૃક્ષો પડવાને કારણે અથવા…







