ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો વહીવટી નિર્ણય, 39 મામલતદારોની સામૂહિક બદલી
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે આજે એક મહત્વપૂર્ણ વહીવટી પગલું ભરતાં 39 મામલતદારોની સામૂહિક બદલી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહેસૂલ વ્યવસ્થા વધુ દ્રઢ બને, કાર્યક્ષમતા વધે અને નાગરિક સેવાઓની ગુણવત્તામાં વધારો થાય તે હેતુથી આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. વધતા કેસ અને વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ફેરફારો સરકારી સૂત્રો મુજબ, છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાંક જિલ્લાઓમાં: – જમીન સંબંધિત કેસોની વધતી સંખ્યા – વિકાસ પ્રોજેક્ટ્સની ગતિ – લોકઅરજીઓમાં વધારો ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે અનુભવી મામલતદારોને વ્યસ્ત તાલુકાઓમાં નિમણૂંક કરી છે. બીજી તરફ, અમુક અધિકારીઓને શાંત અને ઓછી વહીવટી દબાણ ધરાવતા તાલુકાઓમાં બદલી કરવામાં આવી છે. વહીવટી કાર્યક્ષમતામાં સુધારો લાવવા પ્રયાસ મામલતદાર એક તાલુકામાં અનેક મહત્વપૂર્ણ ફરજો બજાવે છે જેમ કે: – જમીન માપણી અને સર્વે –…
દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો
દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટએ ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસની NIA કસ્ટડી મંજૂર કરી છે, જેથી તેમને વધુ પૂછપરછ કરી શકાય. હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા NIA તપાસ મુજબ, આ ચારેય આરોપીઓએ લાલ કિલ્લા કાર વિસ્ફોટની યોજનામાંથી લઈને અમલ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે દેશવ્યાપી ચિંતા ફેલાઈ હતી. એજન્સીએ અગાઉ અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને પણ ધરપકડ કરી હતી.…
કર્ણાટક સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: રખડતા શ્વાનના હુમલામાં મૃત્યુ થાય તો પરિવારને ₹5 લાખનું વળતર
કર્ણાટકમાં વધી રહેલા રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે માનવતાપૂર્વકનો મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં રખડતા શ્વાન કરડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, તો મૃતકના પરિવારને કર્ણાટક સરકાર તરફથી ₹5 લાખનું વળતર આપવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય કેબિનેટની તાજેતરની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, રખડતા ઢોર અને શ્વાનોની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવવા સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. પરંતુ અકસ્માતની ઘટનામાં પીડિત પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી મળે તે હેતુથી આ નવી વળતર નીતિ અમલમાં મૂકી છે. ઈજાઓ માટે પણ સહાયની જાહેરાત – મૃત્યુની સાથે–સાથે શ્વાન કરડવાથી થતા ઈજાઓ માટે પણ સરકાર દ્વારા વળતરની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી નીતિ મુજબ: – જો વ્યક્તિને રખડતા શ્વાન કરડે અને…
ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી. શું બન્યું? બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા. બચાવ બાદની કામગીરી હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ…
માહિતી વિભાગની સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશની પરીક્ષા મોકૂફ, નવી તારીખ ડિસેમ્બરમાં
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોની ભરતી માટે વર્ષ 2025ની જાહેરાતો બહાર પાડવામાં આવી હતી. આ દરમિયાન માહિતી વિભાગમાં સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ 3ની MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પ્રથમ આરંભિક આયોજન અનુસાર પરીક્ષા 25 નવેમ્બર 2025ના રોજ લેવાની હતી. પરંતુ ઉમેદવારો અને અન્ય સંસ્થાઓ દ્વારા આ મુદ્દે વિવાદ ઉઠ્યો હતો, કારણ કે પરીક્ષા માટેની વિગતવાર અભ્યાસક્રમ જાહેરાતમાં સમાવિષ્ટ નહોતી. આ અભાવને લીધે ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં મૂંઝવણમાં મુકાયા હતા. ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી મુજબ, વિગતવાર અભ્યાસક્રમ મળતા જ અને વહીવટી કારણોસર પ્રાથમિક પરીક્ષા 15 ડિસેમ્બર 2025 (સોમવાર)એ લેવામાં આવશે. આ નવી તારીખ પર તમામ સંબંધિત ઉમેદવારોને…
ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો વિગત
રાજ્યના ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે આગામી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. શિક્ષણ વિભાગના સૂચન મુજબ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સમયસર તૈયારી કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આ વર્ષે 7 નવેમ્બર, 2025 થી શરૂ થઈને 6 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. બોર્ડ પરીક્ષા દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. પરીક્ષા માટે ફોર્મ ભરીને નોંધણી કરવી તે જરૂરી પગલું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજન સુનિશ્ચિત થાય છે. ફોર્મ ભરવાની મુખ્ય વિગતો: – તારીખ: 7 નવેમ્બર, 2025 થી 6 ડિસેમ્બર, 2025 – વિભાગ: ધો. 10 અને ધો. 12 – સામાન્ય, વિજ્ઞાન અને તમામ વિભાગ – પ્રક્રિયા: ફોર્મ ઓનલાઈન gseb.org વેબસાઈટ દ્વારા ભરવામાં આવશે. – જવાબદારી: શાળાઓ…
ગુજરાતની GST આવકમાં નોંધપાત્ર વધારો, ઓક્ટોબરમાં 10,703 કરોડ રૂપિયાથી પાર
ગુજરાત સરકારે ઓક્ટોબર મહિનામાં કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. રાજ્યની કુલ કર આવક આ મહિનામાં 10,703 કરોડ રૂપિયાને સ્પર્શી છે, જે રાજ્યના આર્થિક વિકાસ માટે સકારાત્મક સંકેત છે. વેપારી વેરા વિભાગના તાજા આંકડાઓ મુજબ, માત્ર ઓક્ટોબરમાં જ જીએસટી દ્વારા 7,127 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધી રહેલી ગતિવિધિઓ અને સમયસર જીએસટી ભરપાઈ થવાના કારણે આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તે સિવાય, વેટ હેઠળ 2,534 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,016 કરોડ, અને વ્યવસાય વેરા હેઠળ 26 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. વેટ આવકનો મોટો હિસ્સો પેટ્રોલિયમ ઉત્પાદનો અને અન્ય ઈંધણના વેચાણ પરથી પ્રાપ્ત થાય છે, જ્યારે વિદ્યુત શુલ્ક ઉદ્યોગોમાં વીજ વપરાશ વધવાને કારણે વધ્યો છે. સરકારનું માનવું છે કે આવકમાં…
4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી મોનસૂન પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો ગાંધી બાગ રોડ, શાકમાર્કેટ, વીટી નગર રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા નેસવડ, નાના-મોટા જાદરા, દૂધેરી અને ડોળીયા ગામોમાં સતત વરસાદ કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ દિલીપ ગળથરીયા_સંવાદદાતા મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમ ઓવરફ્લો માલ નદી બે કાંઠે વહેતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખોરાક અને સામાનનું નુકસાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદથી ખેતરો અને ગામો બન્યા પાણીમાં તરબતર સિહોર તાલુકામાં કોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા…
દિવાળીએ EPFO તરફથી ભેટ! હવે PFમાંથી 100% ઉપાડ શક્ય, 7 કરોડ કર્મચારીઓ માટે સારા સમાચાર
દિવાળીના તહેવાર પહેલા EPFO ખાતાધારકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોના કારણે હવે PF ખાતાધારકો માટે પોતાની બચતનું મોટું અંશ ઉપાડવું વધુ સરળ બનશે. EPFOના નવા નિર્ણયોથી કયા ફેરફાર થયા? સોમવારે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક યોજાઈ, જેમાં નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા: હવે PFમાંથી 100% સુધી આંશિક ઉપાડ શક્ય અગાઉ PFમાંથી આંશિક ઉપાડ માટે 13 અલગ-અલગ જટિલ જોગવાઈઓ હતી, જેને હવે માત્ર 3 મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે: – આવશ્યક જરૂરિયાતો: જેમ કે શિક્ષણ, લગ્ન, માંદગી વગેરે – રહેઠાણ સંબંધિત જરૂરિયાતો – ખાસ પરિસ્થિતિઓ: જેમ કે કુદરતી આફત, રોગચાળો, લોકડાઉન વગેરે – ખાસ પરિસ્થિતિઓ માટે…
















