અમદાવાદ: લોદરીયાદ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરીયાદ ગામે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતદેહોમાં પુરૂષ, મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પોલીસ પાસેથી મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ એક સામૂહિક આપઘાતનો મામલો હોઇ શકે છે. ઘટના બનતાજ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ નાયબ મામલતદાર તેમજ DySP સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટના સ્થળે ફોરેન્સિક અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી ગઈ છે. પતિએ કરી પત્ની અને બાળકની હત્યા? પ્રાથમિક તપાસમાં સામે આવી રહેલી વિગતો મુજબ, પુરૂષે પહેલા પત્ની અને બાળકની કટર વડે残酷 હત્યા કરી હતી. ત્યારબાદ તેણે પોતાનું…

કલેક્ટર સાહેબ, દેશરક્ષક સામે તમારું મૌન નહીં ચાલે – તમે રાજસેવક છો, રાજા નહિ!”

પંકજ મકવાણા, અમદાવાદ /  ‘દેશ માટે લડનારના પરિવારને માન આપવાનું ચૂક્યા’ હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, આર્મી મેન અને તેનો પરિવાર દેશ અને સરકાર તરફે સામાજિક પ્રતિબદ્ધતા ધરાવે છે. પરંતુ સરકારને તેમની સાથે જાણે કોઈ નિસ્બત નથી. આ વર્તન ચલાવી શકાય નહિ. કલેક્ટરો આર્મીમેન અને તેમના પરિવારને માન આપવાનું ચૂકી ગયા છે. સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, અરજદારે 18 વર્ષનો વિલંબ કર્યો છે તેથી ટકવાપાત્ર નથી. આર્મીમેનને 18 વર્ષ સુધી પ્લોટ નહિ ફાળવાતા તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેનું જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે. આ મામલે કોર્ટના અભિપ્રાય અને સચોટ વિશ્લેષણ એ મહત્વપૂર્ણ છે કે, જ્યારે એક નિવૃત્ત આર્મી મેન 18 વર્ષ સુધી પ્લોટ માટે રાહ જોઈ રહ્યો…

રાજ્યમાં ઉનાળા દરમિયાન નહીં પડે પીવાના પાણીની અછત ! રાજ્ય સરકારે તૈયાર કર્યો આ પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ આ હેતુસર પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ આપવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પર ફોકસ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ સહિત કુલ 207 જળાશયોમાં 14,269.73 મિલિયન ઘન…

Surat: કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 17 વર્ષીય રત્નકલાકારની હત્યા બાદ મહિલાઓ બની રણચંડી

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં વધૂ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે. જેને લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં  17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી તરુણની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. જોકે પોલીસે ગણતરીનની મિનિટોમાંજ આરોપીની ધરપકડ કરી છે.  મહિલાઓ બની રણચંડી હત્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છે. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ચાર બહેનોના એકના એક ભાઈની હત્યાને લઈને લોકોમાં…

સુરતમાં કિશોરે તેમની જ બહેનની હત્યા કરતા ચકચાર, પોલીસે હાથ ધરી તપાસ

B INDIA સુરત : સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં 13 વર્ષના કિશોરે પોતાની માસીની દીકરીની હત્યા કરી છે. આ એક વર્ષની બાળકી રડતી હોવાને લીધે મોટાભાઈએ તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા કર્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે બાળકીના મોત બાદ પીએમ રિપોર્ટ જોઈને પોલીસ સાથે પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી હત્યારા કિશોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આપને જણાવી દઈએ કે, મૂળ બિહારના વતની અને સુરતની ખાનગી હોસ્પિટલમાં કામ કરતી બે સગી બહેનો સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે. મોટી બહેનને ચાર દીકરીઓ છે જ્યારે નાની બહેનને બે દીકરા છે. મોટી બહેનના પતિ મહારાષ્ટ્રના પુણે ખાતે કામ કરે છે. જ્યારે નાની બહેનના પતિ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં…