ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા સંદીપ સાગલે, હરિત શુક્લાના સ્થાને નિયુક્તિ

ગુજરાત રાજ્યમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાગલેની નિયુક્તિ કરવામાં આવી છે. આ બદલાવ હરિત શુક્લાના સ્થાને કરવામાં આવ્યો છે, જેમણે અગાઉ આ પદ સંભાળ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી પંચે સત્તાવાર પરિપત્ર દ્વારા આ નિયુક્તિની જાહેરાત કરી છે. સંદીપ સાગલેનાં કાર્ય અને જવાબદારીઓ – ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજવાની જવાબદારી – મતદાર યાદી સુધારણા અને આગામી ચૂંટણી માટે તૈયારી – રાજ્યમાં ચૂંટણી સંબંધિત તમામ વહીવટી કામગીરીનું માર્ગદર્શન પ્રશાસનિક અનુભવ સંદીપ સાગલેઆગેહી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ડિરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી હતી. તેમના વહીવટી અનુભવ અને કાર્યક્ષમતા દર્શાવતા તેમને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચના સત્તાવાર પરિપત્ર મુજબ તેમની નિયુક્તિ તરત જ અમલમાં આવશે, અને તેઓ આગામી ચૂંટણીમાં રાજ્યની ચૂંટણી…

મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – Special Intensive Revision) અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યભરમાં 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશના ગણતરી તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારોને પોતાના નામ ઉમેરવા, સુધારવા અથવા કમી કરવા અંગે દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે. ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કુલ 69,760 નાગરિકોએ ફોર્મ-6 રજૂ કર્યા છે. જ્યારે વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકોએ ફોર્મ-7 ભર્યા છે. ચૂંટણી…

ગુજરાત : 99% મતદારોને SIR ફોર્મનું વિતરણ પૂર્ણ, આખરી યાદી ફેબ્રુઆરીમાં

ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશ્યલ સમરી રીવિઝન (SSR) પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત, 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી ચૂંટણી અધિકારીઓ મુજબ મતદારોએ કરવામાં આવેલી નોંધણી અથવા સુધારણાં અંગેના ફોર્મ 4 ડિસેમ્બર સુધી પરત કરાવી શકાશે. રાજ્યમાં 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેથી મતદારોને પોતાના નામ, સરનામા અને અન્ય વિગતો ચકાસવાની તક મળશે. 8 જાન્યુઆરી સુધી નવો મતદાર બનવાની તક નવો મતદાર બનવા ઇચ્છુક નાગરિકો કે પોતાના નામમાં…