ગુજરાતમાં કુપોષણ મુદ્દે સરકારની કબૂલાત: 64.23% ગ્રાન્ટ વપરાઈ નહીં
ગુજરાતમાં બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ હોવા છતાં સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કુપોષિત બાળકો માટે ફાળવવામાં આવેલી કુલ ગ્રાન્ટમાંથી 64.23 ટકા રકમ ખર્ચવામાં આવી નથી. ₹1550 કરોડ ફાળવ્યા, પરંતુ ₹995.90 કરોડ બાકી વિધાનસભામાં ધારાસભ્યના સવાલના લેખિત જવાબમાં સરકારે માહિતી આપી કે વર્ષ 2025-26 માટે કુપોષણ નિવારણ માટે કુલ ₹1550 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી માત્ર ₹554.42 કરોડનો જ વપરાશ થયો છે, જ્યારે ₹995.90 કરોડ જેટલી મોટી રકમ વપરાયા વિના જ રહી ગઈ છે. કુપોષણ મુદ્દે સરકાર પર પ્રશ્નચિહ્ન રાજ્યમાં કુપોષણ જેવી ગંભીર સમસ્યા હોવા છતાં ફાળવાયેલાં નાણાંનો પૂરતો ઉપયોગ ન થવો પ્રશાસન પર સવાલ ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું…
પાલનપુરમાં વિકાસના કામો રિવર્સ ગિયરમાં જોવા મળી રહ્યા છે | #bindia
લાખો રૂપિયાનો રસ્તો, બે મહિના માં ખોદાયો ભૂગર્ભ ગટર ભૂલાયું અને જનતાના પૈસાનો વેડફાટ પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા પાલનપુર પાલિકાની નીતિ સામે ઉભો થયો પ્રશ્નચિહ્ન (અહેવાલ – LAXMANJI THAKOR ) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવ્યું સુજલામ સુફલામ જળ અભિયાન 2.0, તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવાની નેમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય અને જળ સંગ્રહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા “કેચ ધ રેઈન” આહવાનને સાકાર કરવા ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જળ સંચય અને જળ સંગ્રહ માટેનું આ મહાઅભિયાન તા. 31 મે 2026 સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે. આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના 6 જેટલા વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે. આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું…
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…
Vadodara : વઢવાણા તળાવમાં પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો | #vadodara
વઢવાણા તળાવ, જે ડભોઇ તાલુકોમાં આવેલું છે, વિદેશી પક્ષીઓ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અહીં આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરની ગણતરી મુજબ વર્ષ 2026માં વઢવાણા તળાવમાં કુલ 47,700 પક્ષીઓ નોંધાયા છે, જે 2022ની સરખામણીએ લગભગ અડધા જેટલા છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો 2022માં 95,000, 2023માં 50,000, 2024માં 54,171, 2025માં 29,189 અને 2026માં 47,700 પક્ષીઓ નોંધાયા છે. આ વર્ષે વિવિધ પ્રજાતિના પક્ષીઓમાં ગ્લોસી આઈબિસ આશરે 9,000, કોમન ફૂટસ 12,370, નોર્ધન પિનટેઇલ 9,800, નોબબિલ્ડ ડક 8,000, રડી શેલડક 7,450 અને ગ્રેલેગ ગીસ 3,300 જેટલા નોંધાયા છે. વિશેષ નોંધનીય છે કે વઢવાણા તળાવને અગાઉ રામસર સાઈટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જે તેને આંતરરાષ્ટ્રીય…
Bharuch : મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન
રિયાઝ પટેલ, ભરૂચ/ આજ રોજ મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમની હસ્તકલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીડીઓ યોગેશ કાપસે તથા પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે મહિલાઓના આત્મનિર્ભર બનવાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આવા આયોજનોથી સ્થાનિક કલા અને હસ્તકલા ક્ષેત્રને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારી કચેરીના મહિલા અને બાળ અધિકારી , દહેજ પ્રતિબંધક અધિકારી તેમજ તમામ કર્મચારીઓ, માહિતી કચેરીના પ્રતિનિધિઓ અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલમાં વિવિધ…
ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, જાણો છેલ્લા 5 વર્ષમાં કેટલી સહાય ચૂકવાઈ
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે. કૃષિ મંત્રીએ ગૃહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે એજીઆર-50 (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ 2011-12માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. 55 કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…
ગુજરાતમાં ખેતી વિજળી પર વીજકર સંપૂર્ણ નાબૂદ, ગ્રામ્ય-શહેરી વીજકરમાં વ્યાજના દરો જાહેર: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા તા. 01 જુલાઈ, 2004થી ખેતી વિષયક વીજળી પરનો વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. વધુમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. આ ઉપરાંત ‘નો…
ગાંધીનગરમાં યોજાયો સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ: સંસ્કૃતિનો જીવંત વારસો ગણાવી અધ્યક્ષ હિમાંજય પાલીવાલનું સંબોધન
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો હતો. માધ્યમિક સ્તરે સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ વેગ આપવા તેમજ આ ક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. નવી પેઢી આ વારસા સાથે જોડાય તે માટે આચાર્યો અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. આ કાર્યક્રમમાં રાજ્યની કુલ 223 સંસ્થાઓ જોડાઈ હતી. સંસ્થાઓના આચાર્યઓ અને સંસ્કૃત વિષયના ગુરુજીઓ સહિત કુલ 476 શિક્ષણસેવકોનું તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. પદ્મકુમારજીએ “પરિવાર પ્રબોધન: સંસ્કૃત દ્વારા વ્યક્તિત્વ…
દિલ્હી ખાતે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) સમિતિની મહત્વની બેઠક યોજાઈ, આ મામલે થઈ ચર્ચા
રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે. આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે…
















