TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, ઉમેદવારો માટે મોટું અપડેટ!
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, હોલ ટિકિટ અંગે મહત્વપૂર્ણ અપડેટ ગુજરાતમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટિચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ – હાયર સેકન્ડરી (TAT-HS) મુખ્ય પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પરીક્ષા માટે લાયક ઉમેદવારો હવે પોતાની તૈયારીને અંતિમ તબક્કે પહોંચાડી શકે છે. પરીક્ષા આયોજન કરનાર સત્તાધિકારીઓએ ઉમેદવારોને સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અને તેમાં દર્શાવેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવાની સલાહ આપી છે. હોલ ટિકિટમાં ઉમેદવારનું નામ, પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાનો સમય, બેઠક નંબર અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા પહેલા સત્તાવાર વેબસાઇટ પરથી પોતાની એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા કેન્દ્ર પર હોલ ટિકિટ સાથે માન્ય ફોટો ઓળખપત્ર લઈ જવું ફરજિયાત રહેશે.…
સ્માર્ટ સિટી તરફ વડોદરાની ઝડપી દોડ
વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટને મળી ગતિ, વિકાસ કાર્યોમાં આવ્યો વેગ વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યોને વધુ ગતિ આપવામાં આવી રહી છે. શહેરના આધુનિકીકરણ અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી નવા રોડ, ગાર્ડન અને જાહેર સુવિધાઓના વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના સુધારણા, નવા માર્ગોના નિર્માણ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ હરિયાળી વધારવા માટે નવા ગાર્ડન અને જાહેર બગીચાઓના વિકાસનું કામ પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે આધુનિક સ્ટ્રીટ લાઇટ, ફૂટપાથ, જાહેર શૌચાલયો, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ પર પણ કામગીરી કરવામાં આવી રહી છે.…
Vadodara : ખુલ્લા મેનહોલમાં પડવાથી નિવૃત્ત DSPના પુત્રનું મોત, તંત્ર થયું દોડતું
વડોદરામાં પોતાના પરિવાર સાથે રાત્રિભોજન માટે બહાર ગયેલા એક વ્યક્તિ સાથે ભયાનક અકસ્માત થયો. અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લા મેનહોલમાં પડી જવાથી 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું. ઘટનાની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે મૃતકની ઓળખ વિપુલસિંહ ઝાલા તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે વિપુલસિંહના પિતા ગુજરાત પોલીસના નિવૃત્ત DSP છે. વિપુલના સંબંધીએ જણાવ્યું કે વિપુલ શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે કાર પાર્ક કરવા માટે બહાર ગયા હતા અને પરિવારને રાહ જોવા કહ્યું હતું. ‘જ્યારે તે 20 મિનિટથી વધુ સમય પછી પણ પાછા ન આવ્યા ત્યારે અમે તેની શોધ શરૂ કરી. તેનો મોબાઇલ ફોન પણ બંધ હતો. શોધ દરમિયાન અમને એક ખુલ્લો મેનહોલ મળ્યો . જ્યારે અમે અંદર જોયું તો તેના…
અમરેલી : જાફરાબાદ દરિયામાં ઈજાગ્રસ્ત ખલાસીનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જાણો વિગત
અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદરથી આશરે 60 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હલચલ મચી ગઈ. કોસ્ટ ગાર્ડની સમયસરની કામગીરીને કારણે ખલાસીનો જીવ બચી ગયો. મળતી માહિતી અનુસાર, ‘મહેશ્વરી સાગર’ નામની માછીમારી બોટમાં કાર્યરત ખલાસી ભીખુ નારણભાઈ દરિયાની વચ્ચે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બોટ પરથી તાત્કાલિક મદદની માગણી થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ એક્શનમાં આવી હતી. કોસ્ટ ગાર્ડની ટીમે ઝડપી પ્રતિસાદ આપતાં 30 નોટિકલ માઇલના અંતરે પહોંચીને ખલાસીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યો હતો. દરિયાની ઉગ્ર લહેરો અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનોની કુશળ કામગીરી પ્રશંસનીય રહી હતી. રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત ખલાસીને તરત જ બોટમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ દરિયા કિનારે ખસેડી વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ…
મોરબીનાં આ ધારાસભ્યએ સરકાર સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય આપવા કરી રજુઆત
ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતનાને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર લખી રજૂઆતમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર મોરબી ટંકારા પડધરી રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન થયેલ છે. જેમાં મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇ મારા મતવિસ્તારમાં સત્વરે નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય પેટે વળતર આપવા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,…
ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલે મેળવી અનોખી સિદ્ધિ, એક માસમાં 400થી વધુ સફળ ડિલિવરી
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકો આજે આરોગ્યસેવામાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હવે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ માતૃત્વસુરક્ષા અને માનવતા માટેનું પ્રતિક બની ચૂકી છે. જેમાં રાજસ્થાનના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ તથા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ ગઢવીના દૃઢ નેતૃત્વ હેઠળ અહીં સતત ઉચ્ચ ગુણવત્તાની સેવા આપવામાં આવી રહી છે. તેમની ટીમની નિષ્ઠા, સેવા અને કાર્યદક્ષતાના કારણે ન માત્ર ખેડબ્રહ્મા તાલુકાના પરંતુ પાડોશી રાજસ્થાન રાજ્યના અનેક મહિલા દર્દીઓ માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. ડૉ. અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,“અહીં દર મહિને સરેરાશ ૩૫૦ જેટલી ડિલિવરી કરવામાં આવે છે, પરંતુ આ મહિનામાં 400થી વધુ ડિલિવરી કરીને અમારી ટીમે નવી સિદ્ધિ હાંસલ કરી…
Banaskantha: ડીસા અગ્નિકાંડના મુખ્ય આરોપી દીપકને લઈને થયો મોટો ખુલાસો, આ પહેલા પણ…
ગઇકાલે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં મોટી દુર્ઘટના બની હતી. ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 21 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારના રહેણાંક વિસ્તારના ઘરના કાંચ તૂટી ગયા હતા. આ સમગ્ર ઘટના મામલે કારખાનાના માલિક દીપક મોહનાણીની અરવલ્લીથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી દીપક ને લઈ મોટા ખુલાસા થયા છે. દીપક ટ્રેડર્સ નામથી ચાલતી આ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ માલિક દીપક મોહનાણી ફરાર થયો હતો. અને તેમની ધરપકડ અરવલ્લી પોલીસે કરી હતી. બ્લાસ્ટ મામલે કોંગ્રેસે ભાજપને ઘેરી હતી. કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે આરોપી દીપક આ પહેલા મુખ્ય આરોપી દીપક મોહનાની IPLમાં સટ્ટો રમાડતો હોવાનું આવ્યું સામે આવ્યું છે. વર્ષ 2024માં સ્ટેડિયમમાં બેસીને…














