રાધનપુરમાં Police પર હુમલો: PSI ચૌધરી સહિત પોલીસકર્મીઓ ઘાયલ, 25 સામે ફરિયાદ Aggressive Assault

રાધનપુરના સીનાડ ગામે Police ટીમ પર હુમલો: PSI ચૌધરી સહિત પોલીસકર્મીઓ ઘાયલ, 25 સામે ફરિયાદ કિંજલ રબારી વિવાદના પ્રત્યાઘાત વચ્ચે તંગદિલી: લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓને અટકાવતાં ટોળાને સમજાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો; લોખંડની ખુરશી વડે PSI પર હુમલાનો આક્ષેપ, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં કિંજલ રબારી વિવાદના પ્રત્યાઘાત વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા કેટલાક દર્શનાર્થીઓને અટકાવવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પહોંચેલી પોલીસ ટીમ પર જ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં PSI એચ.વી. ચૌધરી સહિત કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સીનાડ ગામે પોલીસ પર હુમલાની ઘટના, 25થી વધુ સામે…

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…

અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની આડમાં ગ્રાહકોને હુક્કાની સુવિધા આપવામાં આવતી હતી અને હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હુક્કાબારના સંચાલક સહિત હુક્કાની મજા માણી રહેલા કેટલાક ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી હુક્કા અને અન્ય સામગ્રી કબજે કરીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળી હતી ચોક્કસ બાતમી અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એસ.પી.…